SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भूयांसि योगशास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंच ||१०४ ॥ : અર્થ: મહાત્માઓનાં રચેલા યોગના જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક-એક પ્રદેશને આ સામ્યશતક પ્રાપ્ત થાઓ. : વિવેચન : ૧૦૫ ગ્રંથકાર કહે છે : ‘આ સામ્યશતક કોઈ મોટો યોગ ગ્રંથ નથી, કોઈ ધ્યાન ગ્રંથ નથી. આ તો એક નાનકડો ગ્રંથ છે, લઘુ ગ્રંથ છે. પરંતુ જો આ ‘સામ્યશતક'નું એકાગ્રતાથી અધ્યયન, મનન, ચિંતન કરવામાં આવશે તો એ મોટા યોગ ગ્રંથોની, અધ્યાત્મ ગ્રંથોની ગરજ સારશે! જેઓને મોટા ગ્રંથોનું અધ્યયન કરવાની અનુકૂળતા નથી, મોટા ગ્રંથોનું, ગહન-ગંભીર ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રજ્ઞા નથી, તેમના માટે આ લઘુ ગ્રંથ ઘર્ણો ઉપયોગી સિદ્ધ થશે. જે વાતો, જે તત્ત્વો, મોટા ગ્રંથોમાં વિસ્તારથી કહેવામાં આવ્યાં છે, એ જ તત્ત્વો આ ‘સામ્યશતક'માં સંક્ષેપથી કહેવામાં આવ્યાં છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - बहुत ग्रंथ नय देख के महापुरुष कृत सार, विजयसिंह सूरि कियो, समता-शतको हार ! For Private And Personal Use Only ‘આ સામ્યશતકના રચયિતા આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરિજીએ અનેક ગ્રંથોનો સાર લઈને, આ ગ્રંથની રચના કરી છે!’ આ વાત જ્યારે ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાયજી કહે છે, ત્યારે આ ‘સામ્યશતક'ની મહત્તા ઘણી વધી જાય છે. ઉપાધ્યાયજીએ તો આ સંસ્કૃત - ગ્રંથનો અનુવાદ, પોતાના એક શિષ્ય માટે કર્યો છે! એટલે તો હજાર ગણી મહત્તા વધી જાય છે.
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy