SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૨ www.kobatirth.org धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विजृंभते ।। ८१ ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir :અર્થ: આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે, કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. : મોહ+અજ્ઞાન = અવિદ્યા = વિવેચનઃ આ સમગ્ર વિશ્વ માયામય-મિથ્યા હોવા છતાં, જીવાત્મા આ વિશ્વના પદાર્થોને તત્ત્વરૂપ-વાસ્તવિક માને છે, એનું કારણ છે. અવિઘા મોહમયી અવિદ્યા! સામ્યશતક આ વિશ્વમાં નિરંતર પ્રસાર પામતી અવિદ્યા જે મિથ્યા છે, જે અસત્ છે, તેને આ અવિદ્યા તાત્ત્વિક સમજાવે છે. એટલું જ નહીં, જે સત્ છે, જે બ્રહ્મસ્વરૂપ છે, તેને આ અવિદ્યા અસત્ય સમજાવે છે. એટલે ગ્રંથકાર અવિદ્યાને ધિક્કારે છે. For Private And Personal Use Only મોહનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અવિદ્યા જન્મે છે. અવિદ્યાનો નાશ કરવો જ જોઈએ. અવિદ્યા નાશ પામે તો જ ભ્રમણાઓ નાશ પામે. જે સતુ છે તે સત્ સમજાય અને જે અસત્ છે, તે અસત્ સમજાય. આ વિશ્વને, આ જગતને સાચું માનવાની અવિઘા, જીવને જનમ-જનમથી વળગી છે, અનાદિકાળથી વળગેલી છે તેને દૂર કરવા નાનો-સૂનો ઉપાય કરવાથી નહીં ચાલે. એના માટે સતત અને ચીવટભર્યો ઉપાય કરવો પડશે. - ‘અવિદ્યા' થી ઘેરાયેલા અને જગતને તત્ત્વરૂપ માનનારા લોકોથી દૂર રહો. - અવિદ્યાની વાસનાને દૃઢ કરનારું વાંચન ન કરો, એવું સાંભળો નહીં. તમારા અંતઃકરણને જાગ્રત રાખો,
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy