________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तिरयन्नुज्ज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः । १४० ॥
:અર્થ:
માન-અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજ્વલ પ્રકાશને ઢાંકીને, સુખના પ્રવાહને રોકે છે.
: વિવેચનઃ
અભિમાનનો આ પહાડ નાનો-સૂનો નથી. એનાં આઠ આઠ ઊંચાં શિખરો છે! ભયાનક ભેખડો છે.... એવા પહાડમાં રહેલા માનવીને પ્રકાશનું સુખ કેવી રીતે મળી શકે?
૪૧
એ આઠ શિખરો એટલે આઠ મદ!
પ્રકાશનું સુખ એટલે જ્ઞાનના પ્રકાશનું સુખ!
મદાંધ માનવીને જ્ઞાનપ્રકાશનું સુખ ન જ મળે. એ તો અજ્ઞાનના અંધકારમાં જ ભટકતો રહે છે અને દુઃખનાં રુદન કર્યા કરે છે.
- અજ્ઞાની હોવા છતાં માનવી પોતાને શાની માને છે.
– બુદ્ધિહીન હોવા છતાં માનવી પોતાને ‘અભયકુમાર' માને છે!
- રૂપહીન હોવા છતાં પોતાને ‘સનત્કુમાર’ માને છે!
બળહીન હોવા છતાં, પોતાને ભીમ કે અર્જુન માને છે! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે.
4
',
आठ शिखर गिरिराज के, ठामे विमलालोक, तो प्रकाशसुख क्युं लहे, विषम मानवश लोक ।
ઉજ્વલ પ્રકાશમય જ્ઞાનથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે, તે સુખ અભિમાની મનુષ્ય મેળવી શકતો નથી.
For Private And Personal Use Only
જ્ઞાનાનન્દ,ચિદાનન્દ... પૂર્ણાનન્દ.... અભિમાની મનુષ્યના ભાગ્યમાં હોતો જ નથી. એ અભિમાનના મિથ્યા આનંદમાં રમ્યા કરે છે અને જ્યારે એનો મિથ્યા ગર્વ ભેદાય છે, એનું અભિમાન ચૂર-ચૂર થઈ જાય છે.... ત્યારે એના કરુણ રુદનને સાંભળનાર કાંઈ હોતું નથી, એની અશ્રુધારાને સહાનુભૂતિથી લૂછનાર કોઈ હોતું નથી.