SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સામ્યશતક www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तिरयन्नुज्ज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः । १४० ॥ :અર્થ: માન-અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજ્વલ પ્રકાશને ઢાંકીને, સુખના પ્રવાહને રોકે છે. : વિવેચનઃ અભિમાનનો આ પહાડ નાનો-સૂનો નથી. એનાં આઠ આઠ ઊંચાં શિખરો છે! ભયાનક ભેખડો છે.... એવા પહાડમાં રહેલા માનવીને પ્રકાશનું સુખ કેવી રીતે મળી શકે? ૪૧ એ આઠ શિખરો એટલે આઠ મદ! પ્રકાશનું સુખ એટલે જ્ઞાનના પ્રકાશનું સુખ! મદાંધ માનવીને જ્ઞાનપ્રકાશનું સુખ ન જ મળે. એ તો અજ્ઞાનના અંધકારમાં જ ભટકતો રહે છે અને દુઃખનાં રુદન કર્યા કરે છે. - અજ્ઞાની હોવા છતાં માનવી પોતાને શાની માને છે. – બુદ્ધિહીન હોવા છતાં માનવી પોતાને ‘અભયકુમાર' માને છે! - રૂપહીન હોવા છતાં પોતાને ‘સનત્કુમાર’ માને છે! બળહીન હોવા છતાં, પોતાને ભીમ કે અર્જુન માને છે! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે. 4 ', आठ शिखर गिरिराज के, ठामे विमलालोक, तो प्रकाशसुख क्युं लहे, विषम मानवश लोक । ઉજ્વલ પ્રકાશમય જ્ઞાનથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે, તે સુખ અભિમાની મનુષ્ય મેળવી શકતો નથી. For Private And Personal Use Only જ્ઞાનાનન્દ,ચિદાનન્દ... પૂર્ણાનન્દ.... અભિમાની મનુષ્યના ભાગ્યમાં હોતો જ નથી. એ અભિમાનના મિથ્યા આનંદમાં રમ્યા કરે છે અને જ્યારે એનો મિથ્યા ગર્વ ભેદાય છે, એનું અભિમાન ચૂર-ચૂર થઈ જાય છે.... ત્યારે એના કરુણ રુદનને સાંભળનાર કાંઈ હોતું નથી, એની અશ્રુધારાને સહાનુભૂતિથી લૂછનાર કોઈ હોતું નથી.
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy