SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામ્યશતક प्रियाप्रियव्यवहतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसंमतम् ।।७६।। : અર્થ : વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે. (તાવિક નથી.) કેમ કે શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી જૂ કે લીખ અપ્રિય લાગે છે. વિવેચન : કોઈ વસ્તુ એકાંતે પ્રિય નથી લાગતી, એકાંતે અપ્રિય નથી હોતી. એક સમયે પ્રિય લાગતી વસ્તુ કાળાંતરે અપ્રિય લાગે છે. એક સમયે અપ્રિય લાગતી વસ્તુ, સમયાંતરે પ્રિય લાગે છે. પ્રિય-અપ્રિયની કલ્પનાઓ દેશ, કાલ, વ્યક્તિ, અવસ્થા.... આદિના પરિવર્તન સાથે બદલાયા કરે છે. ગ્રંથકાર એક સચોટ દૃષ્ટાંત આપીને આ વાત સમજાવે છે. એક જ શરીર સ્ત્રીનું! એમાંથી પુત્ર જન્મે છે, ગમે છે. જૂ - લીખ પેદા થાય છે, નથી ગમતી! એવી રીતે અનેક દૃષ્ટાંતો આપી શકાય એમ છે : - એક સમયે ગમતી માતા, પરણ્યા પછી પુત્રને નથી પણ ગમતી! - એક સમયે ગમતી પત્ની, પરસ્ત્રીમાં આસક્ત પતિને નથી ગમતી! - કમાતો દીકરો, બેકાર બની જતાં નથી પણ ગમતો! - શ્રીમંત મિત્ર, નિર્ધન બની ગયા પછી નથી ગમતો! આ શ્લોકનો અર્થ ઉપાધ્યાયજીએ આ રીતે કર્યો છે – प्रिय-अप्रिय व्यवहार निज, रुचिरस साचो नाही, अंगज वल्लभ सुत भयो, यूकादिक नहि काही। કહેવાનું તાત્પર્ય એ છે કે - કોઈ વસ્તુ, કોઈ પદાર્થ પ્રિય હોતો નથી કે અપ્રિય હોતો નથી. એ પ્રિયઅપ્રિયનો સમગ્ર વ્યવહાર, જીવની વાસનાના કારણે હોય છે. For Private And Personal Use Only
SR No.008919
Book TitlePiyo Anubhav Rasha Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy