________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્યશતક
ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयंते हि योगिनः ।।१६।।
: અર્થ : મમતાના ઝેરથી અત્યંત મૂચ્છિત થયેલા આંતર તત્ત્વને યોગીજનો વેરાગ્યના અમૃતસિચનથી સચેત કરે છે.
:વિવેચન : આ તો હૃદયની વાત છે, અંત:કરણની વાત છે! ભલે એ યોગીનું હૃદય હોય, યોગીનું અંતઃકરણ હોય!
ક્યારેક મમત્વનો ઝેરી ઝંઝાવાત એ હૃદયને મૂછિત કરી શકે છે, અંતઃકરાને મોહમૂઢ કરી શકે છે. આ સંસાર છે.... સંસારમાં મમતાના ઝેરી વાયરા વાતા જ હોય છે. એ વાયરાઓના ઝપાટામાં ક્યારેક યોગી-મુનિ પણ ઝડપાઈ જતા હોય છે.
પરંતુ યોગી જાગ્રત હોય છે. એને ખ્યાલ આવી જાય છે પોતાના હૃદયનો, એના ઉપર થયેલી મમત્વની ઝેરી અસરનો અને તરત જ તેનો ઉપચાર આરંભી દે છે!
એ ઉપચાર છે વૈરાગ્યચિતનનો. વૈરાગ્યનું ચિંતન એટલે અમૃતસિચન! મૃતપ્રાયઃ બનેલી અંતઃ ચેતનાને વૈરાગ્યનું અમૃતસિચન મળે એટલે અંતઃચેતના આળસ મરડીને બેઠી થઈ જાય છે.
વૈરાગ્યના ચિંતનના મુખ્ય ચાર વિભાગો પાડી શકાય : - મમત્વ જો સ્વજનવિષયક હોય તો એકત્વભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો પરિજનવિષયક હોય તો અશરણ ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો વૈભવ-સંપત્તિવિષયક હોય તો અનિત્ય ભાવનાનું ચિંતન કરાય. - મમત્વ જો શરીર-વિષયક હોય તો “અશુચિ' ભાવનાનું ચિંતન કરાય.
આ રીતે અન્યત્વ અને સંસાર ભાવનાઓનું ચિંતન કરી શકાય.
આ ભાવનાઓનું ચિતન એ જ વૈરાગ્યનું ચિંતન છે. વૈરાગ્ય ચિંતનથી મમત્વના ઝેરની અસર દૂર થાય છે. હૃદય-અંત:કરણપૂર્વક સ્વચ્છ ને સ્વસ્થ બને છે. એમાં નિર્મમત્વ પુનઃ પ્રસ્થાપિત થાય છે.
For Private And Personal Use Only