________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यः कश्चिन्न लयः साम्ये मनागाविर्भून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ ७ ॥
સામ્યશતક
:અર્થ
મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે.’
: વિવેચનઃ
લય
આત્મજ્ઞાનમાં તન્મયતા
સમતામૃતના સાગરમાં સર્વાંગીણ સ્નાન!
ઘણી-ઘણી ઇચ્છા આવું સ્નાન કરવાની છે, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની છે. નિત્યાનંદની અનુભૂતિ કરવાની છે.... પરંતુ આજ સુધી, વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધૂરી જ રહી છે. ક્યારે એ ઇચ્છા પૂર્ણ થશે.... ખબર નથી.... મન અકળાય છે.... હૃદય આન્દ કરે છે....
ત્યારે બુદ્ધિ, એ અનુભવગમ્ય લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.... અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય?
૦ ખાંડનો સ્વાદ,
૦ મધની મધુરતા,
૦ ભોગસુખની અનુભૂતિ..
જેમ વચનોમાં, શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ ‘લય’ને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી. છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે! ગ્રંથકાર આચાર્યદેવ, આવા ‘સમતા૨સ'નું વર્ણન કરવા આ ‘સામ્યશતક’ ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે. આ કાર્ય ઘણું-ઘણું દુષ્કર છે.
For Private And Personal Use Only
છતાં, ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડ્યું છે, એમ આ ગ્રંથનું અધ્યયન - અવગાહન કરતાં સમજાય છે, તેમણે અંતરાત્માને સમતામૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે!