________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગ્યશતક
૩૧
दोषत्रयमयः सैषा संस्कारो विषमज्वरः । मेदूरीभूयते येन कषायक्वाथयोगतः ।।३०।।
: અર્થ : તે આ સંસ્કાર (વાસના), ત્રિદોષમય વિષમ વરના જેવો છે. જે કષાયરૂપ ક્વાથ (ઉકાળો)ના યોગથી પુષ્ટ થાય છે.
વિવેચન : એ જ “સંસારવાસના અને સંસ્કાર' કહીને, ગ્રંથકાર એને એક વિષમ વરની ઉપમા આપે છે.
ત્રિદોષ એટલે વાત-પિત્ત અને કફના યોગથી થતો સંનિપાત! એ સંનિપાતથી ઉત્પન્ન થતો વિષમ જ્વર ઘણો ભયંકર હોય છે.
સંસારવાસનાનો પણ વર ઘણો ભયંકર છે. મન-વચન-કાયા (ત્રિદોષ) ના યોગથી એ વર આમેય જીવલેણ બને છે, તેમાં વળી ચાર કપાયન ક્વાથ (ઉકાળો) લેવામાં આવે, તો પછી બાકી શું રહે? એ વર ભાવપ્રાણોને હરી લે છે. - પહેલી વાત તો, સંસારવાસનાઓ જ ખતરનાક છે. - તેમાં ત્રિદોષ ભળે એટલે ભયંકર સંનિપાત થાય. - એમાં વળી કપાયોનો ક્વાથ પીવામાં આવે, એટલે એ વાસનાઓનો વર
પ્રાણોને, ભાવપ્રાણોને હરી લે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ શ્લોકનો અર્થ આ રીતે કરે છે –
विषय ताप भववासना, त्रिविध दोष को जोर,
प्रकटे याकी प्रबलता, क्वाथ-कमाइ घोर । મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા અને લોભ પેદા થવાના જ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કાંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે.... પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે.
એટલે, ભગવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો. મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં.
For Private And Personal Use Only