________________
વાણીનો સિદ્ધાંત
૮૪
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : હા. મારી પાસે તો બધું જ છે. કંઈ એક જ બટણ છે મારી પાસે ?! મારી પાસે તો ઈલેક્ટ્રિકનાં તમામ સાધનો છે. જે સાધનો હજુ પ્રગટ થયાં નથી, એ ય સાધનો છે. પણ મશીનરી બનાવેલી નથી. એટલે પછી સાધનો પ્રગટ કરીને અર્થ જ શું છે ? જેટલી જરૂર છે, એટલી વાત ખુલ્લી કરી છે.
પ્રશ્નકર્તા : મન, એ પણ અહંકારની અવસ્થા કહેવાય ?
દાદાશ્રી : હોય ને ના પણ હોય, એ બંનેવ બની શકે. અહંકારની હોય, અહંકારની ના ય પણ હોય. આ જ્ઞાન લીધા પછી તમારું મન છે, એ અહંકાર વગરનું છે.
પ્રશ્નકર્તા : અહંકાર છે, તે મનમાં તન્મયાકાર થાય તો અહંકારની અવસ્થા ?
- દાદાશ્રી : માલિક થાય ત્યારે. એટલે મન અહંકારવાળું ય કહેવાય અને અહંકાર વગરનું ય કહેવાય. અજ્ઞાનીદશાએ અહંકારવાળું અને જ્ઞાનીદશાએ અહંકાર વગરનું.
અણદીઠા વિજ્ઞાન, ખુલ્યાં અહીં ! વાત ગમે છે મારી ? કે ના ગમે ? પ્રશ્નકર્તા ઃ અમારે માટે તો નવી જ ને !
દાદાશ્રી : નવી, આ તો બધું વિજ્ઞાન છે. અત્યાર સુધી જગતમાં જે સાંભળ્યું છે ને, એ બધી લૌકિક વાતો સાંભળી છે. એટલે આ વસ્તુ જુદી છે. લોકોને ભાન ના હોય આ વસ્તુ. એટલે અમે આ વિજ્ઞાન ખુલ્લું કરીએ છીએ. આખા જગતનું જે વિજ્ઞાન છે, એ અમે ખુલ્લું કરીએ છીએ. તે આ વૈજ્ઞાનિક રીતથી આ બધું જગત ચાલી રહ્યું છે ! આ બધું સાયન્સ છે. આ વૈજ્ઞાનિક વાત છે, શાસ્ત્રની વાત નથી. આ એક્કેક્ટ છે. ફોરેનના સાયન્ટિસ્ટો આને એક્ઝક્ટ કબૂલ કરે એવી વાતો છે. આ બધી સાયન્ટિફિક શોધખોળ છે અને વિજ્ઞાન હોય તો જ કામ થઈ જાય ને ! અને ભગવાન પણ વિજ્ઞાન સ્વરૂપે છે.
પ્રશ્નકર્તા : આપે આ ટેપરેકર્ડની કરામત થોડી શીખવાડી છે. પણ મહીં આ મશીનમાં મહીં પાછું એવું બટણ હોય છે, તે આમ દાબીએ તો રીવાઈન્ડ કે ફોરવર્ડ બહુ જલ્દી થઈ જાય છે. તો આમાં એવું આપની પાસે છે કંઈ ?
મૌલિક વાત, જ્ઞાતીતી ! આ બહાર જે સાંભળ્યું છે ને, એ ધર્મ છે ને જ્ઞાન છે. જ્ઞાન કોનું નામ કહેવાય કે આપણે કરવું પડે અને આ વિજ્ઞાન છે. વિજ્ઞાન કોનું નામ કહેવાય કે કશું કરવું ના પડે, જાણવું પડે ફક્ત. અને આ દુનિયામાં પહેલી વખત બહાર પડે છે કે વાણી એ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. સાંભળવા જેવી વાત છે કે નહીં ? અને તદન નવી વાત ! અપૂર્વ !!. પૂર્વે ક્યારે ય સાંભળ્યું ના હોય, પૂર્વે ક્યારે ય વાંચેલું ના હોય, જાણેલું ના હોય, એવું આ અપૂર્વ !!! આ મૌલિક વાત છે અને આ “માલિકી વગરની વાણી', એ વાતે ય પહેલાં સાંભળેલી જ નહીં ને, તમે ?”
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આવો શબ્દ ય જગતે સાંભળેલો જ નથી. જગત આજે પહેલી વખત સાંભળે છે. હવે જેને વિચારવું હોય એ વિચારે, ખરું છે કે ખોટું, તે તપાસે ય કરે. વિચાર કરશે તો ખબર પડશે ને ? અને આ જો ખુલ્લું ના કરે તો લોકોને ખબર જ ના પડે ને, કે વિજ્ઞાન શું છે તે ?
હવે આ વાત કંઈ ગમ્યું તો નહીં હોય ને ? બાકી દરઅસલ વાત મૂકી છે. આ જેમ ‘વ્યવસ્થિત’ દરઅસલ વાત મૂકી છે, એવી આ એક દરઅસલ વાત મૂકી છે. આ ‘ભોગવે એની ભૂલ’ એ ય દરઅસલ વાત છે. બધી બહુ વાતો આવી છે.
આ ‘વાણી એ ટેપરેકર્ડ છે” એની જરૂર છે, તેથી એ વાત બહાર પાડી છે. તમને કોઈ ગાળ ભાંડે તો એ ટેપરેકર્ડ છે” એમ કરીને તમે ફાયદો ઉઠાવો. આ વાણી એ ટેપરેકર્ડ છે. એવું કહીએ એટલે તમે ફાયદો ઉઠાવો કે ના ઉઠાવો ?