________________
૩૦૪
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૩૦૫
છતાં દેશના તો ક્યારે આપી ? સંપૂર્ણ શુદ્ધ થયા પછી દેશના આપી. તો ભગવાને આટલી મોડી દેશના કેમ આપી ?
દાદાશ્રી : એવું છે ને, દેશના ત્યારથી અપાય છે કે જ્યારથી એ પોતે વાણીનો માલિક નથી. ત્યાંથી દેશના આપવાની શરૂઆત થાય છે. જેને દેશના આપવી હોય તેને છૂટ છે. વાણીનું સંપૂર્ણ માલિકપણું છૂટી ગયું એટલે દેશના આપી શકવાની છુટ છે. પણ એમને તો તીર્થંકર નામ ગોત્ર હતું ને ! એટલે એમને પૂર્ણદશા થયા પછી જ એ નીકળે. તેથી ભગવાન મહાવીરે પૂર્ણજ્ઞાન થયા પછી દેશના આપી. એટલે મહાવીર ભગવાનથી આટલી મોડી અપાઈ તે ય પદ્ધતિસરની જ છે.
એ દેશતા, શા આધારે ?
માલિક, ત્યાં તો જ્યાં સુધી બારમા ગુઠાણામાં ના આવે ત્યાં સુધી કોઈની દેશના ગણાય નહીં. કારણ કે બારમા ગુઠાણામાં આવે ત્યારે છેલ્લો અહંકાર જાય. અને આ તો નિર્અહંકારી, એટલે આ ઉપદેશ ના કહેવાય.
અમારામાં અહંકાર બિલકુલ હોય નહીં, એટલે અમે કહીએ છીએ ને, કે આ અમારું ટેપરેકર્ડમાંથી નીકળે છે. પણ તે તમે પ્રશ્ન પૂછો, એટલું જ નીકળે છે અમારી પાસે. આ રેકર્ડ બોલે એ તમે સાંભળો છો, એવું અમે પણ સાંભળીએ છીએ. આમાં ‘આમ કરો કે તેમ કરો” એવું અમને આગ્રહ ના હોય. દેશનામાં કોઈ પણ પ્રકારનો આગ્રહ ના હોય. અમારે તો કશું ય દબાણ ના હોય.
પ્રશ્નકર્તા: એમાં એવું ખરું કે એનાં બધા પરિણામ બતાડે ?
દાદાશ્રી : હા, બધું બતાડે. હિતાહિત બધું બતાડે. આખો નકશો બધું જ બતાડે. પણ તને અનુકૂળ આવે તો આ કર. નહીં તો પેલું કર.
એટલે બે જણની દેશના હોય. એક, તીર્થંકર ભગવાનની દેશના હોય અને બીજું, ભેદવિજ્ઞાની પુરુષની દેશના હોય. પણ અમને આમાં
” અને “તમે” એવા ભેદવાળા ખ્યાલ સાથે રહે છે. પેલામાં, તીર્થકરોને એ ભેદનો ખ્યાલ ના હોય. અભેદતા હોય, વીતરાગતા રહે. એટલે અમારી કચાશ ક્યાં આગળ છે, તે અમારું આ ઓપન કર્યું.
વાણી : કેવળીતી, તીર્થકરોની !
મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયા પછી, જે બોલ્યા એ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલતી હતી. અને આ અમારી પણ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. બાકી ક્રમિક માર્ગના જ્ઞાનીઓને, એ બોલે એ
ઓરિજિનલ ટેપરેકર્ડ ના હોય. એ તો પોતે જ, ‘હું જ બોલ્યો’ એમ કહેશે. છતાં એમનું જ્ઞાન જતું રહેતું નથી. એ જ્ઞાનીઓ જ કહેવાય, ક્રમિક માર્ગના. પણ ‘હું બોલ્યો, મારાથી ખરાબ બોલાયું, મારાથી આ સારું બોલાયું” કહેશે.
પ્રશ્નકર્તા : આપ ઉપદેશ આપો તો બધાને કંઈ કામ લાગી શકે આ કાળમાં ?
દાદાશ્રી : એવું છે ને, ઉપદેશ અમે એક ક્ષણવાર ના કરીએ, કોઈ દહાડો ય. ઉપદેશ તો અહંકારી આપે. અમારે અહંકાર નહીં ને, એટલે દેશના હોય.
પ્રશ્નકર્તા: તમારી દેશના છે એમ શેના ઉપરથી કહ્યું ?
દાદાશ્રી : કારણ કે વાણીના માલિક નથી ને ! અઠ્ઠાવીસ વર્ષથી આ વાણી નીકળ્યા કરે છે, પણ અમે એના માલિક ના હોઈએ. ભગવાને ય વાણીના માલિક નહીં અને ક્રમિક માર્ગમાં તો ઠેઠ સુધી વાણીના
પ્રશ્નકર્તા : સામાન્ય કેવળી ભગવંતની અને તીર્થંકરની વાણી, એ બેમાં શું ફેર રહ્યો ?
દાદાશ્રી : બહુ ફેર. તીર્થંકર ભગવાનની વાણી તો ‘અતિશય’ સહિત હોય અને કેવળીની વાણી તો મારા જેવી જ હોય. હું જેવું બોલું છું ને, તે મારા કરતાં ચાર ડિગ્રી તેમની વાણી વધારે ચઢેલી હોય. મારે ત્રણસો છપ્પન ડિગ્રીને બદલે ત્રણસો સાઠ ડિગ્રી થાય ને, તો હું જે બોલું એવું જ એ કેવળી બોલે. પણ કેવળી કોઈનું કલ્યાણ ના કરે, પોતે એકલાં બૂઝે, પણ બીજાનો દીવો સળગાવી આપે નહીં. તીર્થંકર સિવાય કે