________________
વાણીનો સિદ્ધાંત
૪૬૩
૪૬૪
વાણીનો સિદ્ધાંત
જાતને સાચો માને છે. એ જૂઠું બોલનાર પોતાની જાતને સાચો માને છે. ‘હું સાચો છું અને સાંભળતો નથી આ.
મારી પાસે કોઈ જુઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે, દસ-બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે પચાસ વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે પચાસ વર્ષ સુધી મેં શું શું કર્યું બાર વર્ષથી તે બધું મને ખુલ્લું લખી આપે છે, નહીં તો આ દુનિયામાં બન્યું નથી, એવું. કોઈ
સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું.
મારી ટચમાં આવેલો એકે ય છોકરો જૂઠું બોલતો જ નથી. ભય લાગે છે છતાં ય જૂઠું બોલતો નથી. હવે એ છોકરાને જોઈને મને એવું થઈ જાય છે કે મારા વખતમાં કોઈ છોકરો સાચું બોલતો નહોતો. વઢવાની જગ્યા હોય ત્યાં સાચું બોલતો નહોતો; સહેજ જ અપમાન થઈ જાય એવી જગ્યા હોય તો ય સાચું બોલ્યા નથી અને આ તો ગમે તે થાય, મારી નાખવાનો હોય તો ય જૂઠું બોલ્યો નથી. ત્યારે જુઓને, આ પ્રજા કેવી સરસ છે ! હિન્દુસ્તાનનું ભાવિ કેવું ઉજ્જવળ છે !!
અકારણ જૂઠતા કારણ ! પ્રશ્નકર્તા : મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ?
દાદાશ્રી : કારણ તો ખરું. એ ગુપ્ત કારણ હોય. કારણ વગર તો કોઈ દહાડો જૂઠું બોલે જ નહીં. એ તો લાગે એવું આપણને કે કંઈ કારણ હોતું નથી.
ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે કોઈ મને શું કહેશે ?” એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જુઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.
આત્માર્થે જૂઠ, તે જ સત્ય ! પ્રશ્નકર્તા : ઘરની પ્રતિકૂળતા સસંગમાં આવવા માટે હોય તો શું જૂઠું કરવું ?
દાદાશ્રી : ઘરમાંથી કહે કે, સિનેમા જોવા જવાનું નહીં, તો ય તું જાય છે. ત્યારે તું શું કહે છે ? ‘હું કોલેજ જઉં છું’ એમ કહે છે ને ? શાથી એવું કહેતાં હશે ? તે ત્યાં આપણને કપટ કરતાં આવડે છે ને આમાં ના આવડે ? બધું ય આવડે. ભગવાન ખોળવા માટે જે જૂઠું બોલવું, એને સાચું કહેવાય છે.
નહીં તો ય આ બધું જૂઠું જ છે, આ જગત જ જૂઠું છે. ફક્ત આત્મા માટે જૂઠું બોલવું પડે, એમાં આપણે આત્મહેતુ છે. એટલે આત્મહેતુ માટે કો'ક દહાડો કંઈ જૂઠું બોલવું પડે. તો એ સારું. કારણ કે એની જોડે પ્રત્યક્ષ ઝઘડો કરવો, તેના કરતાં આ જૂઠું બોલવું સારું. ઝઘડો કરીએ તો તો એનું મન તૂટી જાય. પછી દસ-પંદર દહાડા ગયા પછી આપણે કહેવું કે હું તો આવું જૂઠું બોલીને સત્સંગમાં જતી હતી. આમ પાછું ધોઈ નાખવું. નહીં તો તને જે ના કહેતું હોય તેને મારી પાસે તેડી લાવ એક દા'ડો. પછી હું એને રાગે પાડી આપું.
પરમ વ્યવહાર સત્ય !
સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુ:ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે. મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રીયલ સત્ય નથી. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.
પ્રશ્નકર્તા : આ સમાજમાં ઘણાં લોકો જૂઠું બોલે છે અને ચોરીલબાડી બધું કરે છે, ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી ? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું ?
દાદાશ્રી : એવું છેને, થોડું જૂઠું બોલ્યા તેનું તો ફળ આવ્યું છે, અહીં