________________
વાણીનો સિદ્ધાંત
૪૭૭
૪૭૮
વાણીનો સિદ્ધાંત
નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોય !
ઈચ્છા નથી છતાં થઈ જાય.. પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં કલેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું ?
દાદાશ્રી : જે કાર્ય પૂરું થવાનું થાય ત્યારે ઇચ્છા ના હોય તો ય કાર્ય થયા કરે. ત્યારે થયા પછી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : આપણે મનથી એમ ઈચ્છીએ કે આની જોડે નથી બોલવું, નથી કંઈ કજીયો કરવો, નથી ઝઘડવું અને છતાં ય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, કલેશ થઈ જાય છે. બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે ?
દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેસ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાં ય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે ય જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવે ય થાય અને ઊંધું કાર્ય થાય ય ખરું, બેઉ થાય. આ બધું કરવાની ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી છેડો-અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે ‘કમીંગ ઈવેન્ટસ કાસ્ટસ ધર શેડોઝ બીફોર” (બનવાનું હોય તેના પડઘા પડે પહેલેથી).
સોતાનો હેતુ પણ દેખાવમાં ભૂલ..... તારાથી લોકો દુભાય છે કે ? પ્રશ્નકર્તા : દુભાય છે. દાદાશ્રી : પછી તરત ખબર પડી જાય છે ? પ્રશ્નકર્તા : તરત ખબર પડે.
દાદાશ્રી : એમ કે ? ત્યારે શું કરું તે પછી ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરું છું.
દાદાશ્રી : વત્યા પછી પ્રતિક્રમણ કરી લઈએ, તો શું વાંધો ? હેતુ સારો છે ને ! બસ એટલું જ તો જોઈએ.
પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું?
દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થયું ને. અને વ્યવહારમાં લોકો કહેશે, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય, તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તો ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધા ય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તો ય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને? એવાં આ કપડા ઉપરના ડાઘ છે.
આ “અમારી’ ટેપરેકર્ડ વાગે, તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો. નહિ તો ના ચાલે. ટેપરેકર્ડની પેઠે નીકળે છે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તો ય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને, કે, ‘પણ સાહેબ, ટેપ તો તમારી જ ને ?” એવું કહે કે ના કહે ? કંઈ બીજાની ટેપ હતી ? એટલે એ શબ્દો અમારે ધોવા પડે. ના બોલાય અવળા શબ્દો.
પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલાઈ જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂગ્લ માલમ પડે. એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે.
સામાતે લગે ખોટી તે જ સાચું ! પ્રશ્નકર્તા : એટલે વાણી બોલતી વખતે, આપણને આપણા