Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 272
________________ વાણીનો સિદ્ધાંત કરે. ૫૩૯ દાદાશ્રી : હા. પણ એ જેવું છે એવું બોલી જાય અને પછી પસ્તાવો મુલાયમ વાણી ! તું સુંવાળું બોલે છે કે કકરું બોલે છે ? પ્રશ્નકર્તા : કકરું ખરું. દાદાશ્રી : આમ અથાડી દઉં ને ? હવે સુંવાળું બોલજે. એના માટે શું કરવું પડશે ? આપણે ચંદુભાઈને કહીએ, ‘મુલાયમ વાણી બોલજો. મહાવીર ભગવાન બોલ્યા હતા એવી. એથી જરા બે આની ઓછી હશે તો કચાશ હશે તો ચાલશે. આ અમારી વાણી છે, એક આની કચાશ છે. મહાવીર ભગવાન કરતાં તો એની બે આની કચાશ હોવી જોઈએને ? ના ચાલે ? તથી ફાયદો છતાં બોલાય !? પ્રશ્નકર્તા : મારો મિત્ર વાણીયો છે, તે કહે કે બહુ બોલવામાં ફાયદો નથી. બહુ બોલવાથી બગડી જાય. દાદાશ્રી : એ બધાં વાણીયાને બધી ચાવીઓ આવડે અને તમને નહીં આવડે. બોલવામાં ફાયદો ના હોય, ત્યાં ચાવી બંધ કરી દે એ અને તમે બોલી દો છો અને તમને પછી થાય કે આ ખોટું બોલાયું, આ અવળું બોલાયું, તે હોય બરાબર. પ્રશ્નકર્તા : જરૂર ના હોય ત્યાં બોલવાનો શો અર્થ છે ? દાદાશ્રી : એ એટલું જ જો સમજેને તો બોલ બંધ થઈ જાય. પણ બોલ બંધ થતાં નથી. એટલા માટે બોલવામાં અર્થ છે, એવું સમજે છે. બાકી બોલવાનો કશો અર્થ જ નથી. મીનીંગલેસ છે. ‘બોલવાનું’ એ તો ભ્રાંતિમાં વ્યવહાર છે એક જાતનો. ભ્રાંતિમાં એની જરૂર છે, પણ પછી જરૂર નથી. છતાં ય બોલ્યા વગર છૂટકો જ ના થાય ને ! ભરેલો માલ તેથી ! ૫૪૦ વાણીનો સિદ્ધાંત આમ સુધરે વાણી ! વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તો ય વાણી સુધરી જાય. પ્રશ્નકર્તા : તો તો પછી કંઈ બોલવાનું જ ના રહ્યું ને ! વાણી જ ના રહી ને ? દાદાશ્રી : ત્યારે આ વાણી તમારે સુધારવી છે કે નહીં ? બીજાની ભૂલ કાઢવાની વાણી તમારે સુધારવી છે ? તમે આખો દહાડો બોલવાના જ છો ને ? વ્યવહારમાં જરૂર જ વાણીની ને ! પ્રશ્નકર્તા : પણ બધી વાણી સુધારવી છે. દાદાશ્રી : એ સુધારો ત્યારે ! ગાળો ભાંડતી વખતે વાણી સુધરી જાય, એવું ખોળી લાવો ! અમારા કહ્યા પ્રમાણે જો કદી હૈંડેને તો વાણી સુધરે. એમાં પાછી પોતાની સમજણ લાવીને મહીં મારે છે, તે પાછી અથડામણ ઊભી થઈ જાય. ડોક્ટરને કહે કે તમે આ દવા પીઓ. ઉલ્ટાં એ ત્યાં જ જઈને કહે. પ્રશ્નકર્તા : સામાને ચેતવવા માટે ઘણીવાર કંઈક યુઝફૂલ બોલે છે. દાદાશ્રી : હા. સામાને ચેતવવા માટે બોલેને બધું. પણ લોકોને ગમતું નથી ને ! એટલે વિવેકપૂર્વક હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પછી લોકો સમજી જાય કે આ બોલે છે એ બરોબર છે, એ ભલે બોલ્યા કરે. દાદાશ્રી : ‘બોલ્યા કરે’ એટલે એનો અર્થ એવો જ કે આ ગાયા કરશે ને આપણે ધ્યાન રાખવાનું નહીં. હવે એમનો ઇરાદો ખરાબ નથી હોતો, એ ચેતવવા ફરે છે. પણ સામો ચેતતો ના હોય, તેનું શું થાય તે ? અને ચેતવવા માટે જેવું બોલવું જોઈએ એવું. એમની પાસે નીકળતું નથી. એટલે આ શબ્દો નકામા જાય છે ! તેથી અમે કહીએ છીએને, કે આ બધું બોલવાનું છોડી દો. તો વાણી

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280