Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 229
________________ વાણીનો સિદ્ધાંત ૪૫૩ ૪૫૪ વાણીનો સિદ્ધાંત નીકળે છે. હવે સારી બોલાય તો સારું ?’ એટલે આવતે ભવ વાણી પાછી સારી થાય નહીં. એમને ભાવ તો ચાલુ રહેવાના અને તમારે ભાવ બંધ કરી દીધો છે, ભાવકર્મ જ બંધ કરી દીધું છે. એમને ભાવકર્મ ચાલુ છે, એટલે વાણી, પર-પરાધીન છે. એવું બોલ્ય ના પોષાય એમને. આપણું વિજ્ઞાન જુદું છે. આપણે કહીએ છીએ ? એ સંજોગો બધા પર ને પરાધીન છે, એટલે આ તમારાથી ફરશે નહીં એવું ય સંજોગ. એ તમારાથી જુદા છે એટલે તમારી નાતના નથી કે તમારી જાતના નથી. તમારાથી ફરી શકે એવાં નથી. એ ઊલ્ટાં તમને ફેરવશે. માટે એના તરફ દુર્લક્ષ સેવો, એમ કહેવા માગીએ છીએ. એ સંજોગો આવે ને જતા રહે, એની મેળે. વખત થાય એટલે જતા રહે. માટે લાગુ નથી થતી. કારણ કે આત્મદશામાં આવ્યા સિવાય ગાળો બોલે ને પછી બોલે કે ‘વાણી પર છે ને પરાધીન છે” તો તેનો દુરુપયોગ થઈ જાય. પછી મનમાં નક્કી ના કરે કે આવું ખોટું નથી બોલવું, એટલે એની પ્રગતિ રૂંધાઈ જાય. જ્યારે જેને આત્મા પ્રાપ્ત થયો છે, તે તો અત્યંત જાગ્રતપણે સ્થૂળ સંયોગો - સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગોનો જ્ઞાતાદ્રષ્ટા રહે ને જાગૃતિપૂર્વક પ્રતિક્રમણ કરાવી એનો નિકાલ કરે. કારણ કે હવે દુકાન ખાલી કરવી છે એમ નક્કી હોય છે. અને આપણા અહીં જ્ઞાન લીધા પછી એવો ખોટો શબ્દ નીકળે તો એ તરત જ નક્કી કરે છે કે ‘હવે સારું બોલવું છે, આ તો ભૂલ થઈ.” અને તમારે તો આ ભવમાં તમારી વાણી નક્કી જ થઈ ગયેલી છે, પરાધીન થઈ ગયેલી છે. કારણ કે તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમારે એનો વાંધો નહીં રાખવાનો. ઉકેલ લાવવો, નિકાલ લાવવો. તમે નિકાલ કરનાર. આ બધું દાદાએ ‘જ્ઞાન’ આપ્યું છે ને, તે એક અવતારને માટે છે. પણ જેને બીજા અવતારોમાં હજુ વ્યવહાર રહેવાનો હોય અને આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, તે એવું બોલે કે ‘વાણી પર-પરાધીન છે' એ ખોટું છે. કારણ કે એ ગાળો દે, લોકોને ગાળો દેવાય એટલી દે અને પછી આપણે કહીએ ‘ગાળો કેમ દો છો ? ત્યારે એ કહેશે, ‘વાણી પર ને પરાધીન છે' એમ કંઈ વ્યવહાર ચાલે ? પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : આપણે તો પર-પરાધીન કહીએ, પર-પરાધીન સમજીએ, અને ઉપરથી એનું પ્રતિક્રમણ કરીએ. પ્રતિક્રમણ તો કરીએ, પણ મોઢે હલ માફી માગી લઈએ કે ‘ભાઈ, ભૂલ થઈ.' એવી માફી માગી લે કે ના માગી લે ? વાણી, પર તે પરાધીત ! સંસારના લોકોને તો વાણી પર અને પરાધીન છે, આવી વાણીની નોંધ રાખીને ‘હવે ફેરવવી છે !' એમ નક્કી કરે, તો આ ભવમાં ભાવ ફેરવે, તો આવતા ભવે એને ફળ મળે. પ્રશ્નકર્તા: એ તો ક્રમિકમાં થયું ને ? દાદાશ્રી : હા. પણ વાણી એક ભવ તો પર ને પરાધીન જ છે. તો ય કેટલાક માણસોને મારે કહેવું પડેલું કે, “અલ્યા, આવું બોલો છો ?” ત્યારે એ કહે, ‘તમે જ કહ્યું છે ને કે વાણી પર છે ને પરાધીન છે.' ત્યારે મેં કહ્યું, ‘અલ્યા આવું ઊંધો ઉપયોગ ના કરાય.' ત્યારે શું થાય ? કો'કને ટકોર મારવી પડે છે. બીજું કંઈ નહીં. ટકોર ના મારીએ તો તો પછી પર ને પરાધીન નક્કી થઈ ગયું તો, એ તો વધારે સ્લીપ થાય ઉલ્ટો, બ્રેક તો મારવી જ પડે. અમે જગતને એટલું જ કહેવા માગીએ છીએ કે મન-વચનકાયાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ‘તું સ્વતંત્ર છે. ભાવથી ‘તું જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મન-વચન પ્રશ્નકર્તા : માગી લે. દાદાશ્રી : અને એ લોકો માફી કશું માગે એવાં નથી, પ્રતિક્રમણ કરે એવાં નથી. એટલે પછી મનમાં નક્કી ના થાય કે ‘વાણી બહુ ખરાબ

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280