________________
વાણીનો સિદ્ધાંત
૩૪૫
૩૪૬
વાણીનો સિદ્ધાંત
છે ને ! તો આ વીતરાગનું તો ધર્મની બાબતમાં સર્વ રીતે કબૂલ કરવામાં આવે. બીજી બધી હરેક બાબતમાં પ્રમાણ કરવામાં આવે. એટલે જગતના લોકો બધા ય માને એવી વાણી આવી ગઈ, એટલે સરવૈયું પૂરું થઈ ગયું.
આરાધ્ય વાણી ! પ્રશ્નકર્તા : વીતરાગની વાણી ક્યારે કહેવાય કે એ વાણીમાં પણ રાગ-દ્વેષ ના હોય તો.
દાદાશ્રી : હા. હમણાં એક પક્ષના મહારાજ બોલતા હોય તો બીજા પક્ષના કોઈ ત્યાં બેઠા હોય તે ઊઠીને જતા રહે. કારણ કે એ જાણે કે આ પક્ષપાતી વાણી છે. અંધારામાં બોલતા હોય તો ય સમજણ પડે ! એ મહારાજનું મોટું ના દેખાતું હોય તો ય વાણીની સમજણ પડે ને કે આ પક્ષાપક્ષીવાળી વાણી છે. એટલે જ્યાં પક્ષાપક્ષી છે, ત્યાં વીતરાગ માર્ગ નથી. જે વાણીને જૈનના બધા ફિરકાવાળા આરાધે, અને વેદાંતના બધા ફિરકાવાળા આરાધ, બધા ધર્મવાળા આરાધે, એ વાણી નિષ્પક્ષપાતી વાણી કહેવાય.
આ બધા જૈનો છે, તમે બ્રાહ્મણ છો પણ ઉઠવાનું મન થાય છે ? ત્યારે કોઈને મતભેદ પાડવાનું મન થાય છે ?
જનસમુદાયના માન્યામાં આવે જ નહીં ને !
દાદાશ્રી : લોક એ તો એવું જ કહે ને. એ લોકો તો આપણને વિરોધી હઉ કહે. કારણ કે ધર્મની બાબતમાં કાયદો જ એવો છે કે ફોરેનવાળા એમના ક્રિશ્ચિયન ધર્મને જ આ દુનિયાનો મોટામાં મોટો, ઉત્તમ પ્રકારનો ધર્મ ગણે. એ એમ ના કહે કે બીજાનો ધર્મ મોટો છે. ‘પોતાનો જ ધર્મ ઊંચો છે' એમ માને. મુસ્લીમો ય એમ માને કે અમારો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. હિન્દુઓ કહે છે અમારો ધર્મ શ્રેષ્ઠ છે અને જૈનો એમ કહે કે અમારો ધર્મ શ્રેષ્ઠ, એટલે બધા પોતપોતાનું ગાયા કરે.
દરેક ધર્મ સાચા છે, પણ સરખા નથી. જેમ સ્કુલમાં ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકંડ સ્ટેન્ડર્ડ, થર્ડ એન્ડર્ડ, બધું ભણતર સાચું છે. પણ સ્ટેન્ડવાઈઝ છે અને કોલેજનું સ્ટેન્ડર્ડ છેલ્લા ધોરણનું સ્ટેન્ડર્ડ હોય, તે છેલ્લા ધોરણનું આ બધું કહેવાય. આ લાસ્ટ ધોરણ પછી આગળ ભણવાનું રહ્યું નહીં.
દાદરો એક, ધર્મ અનેક ! હું શું કહેવા માંગું છું, સમજ પડીને ? પ્રશ્નકર્તા : સર્વધર્મ સમભાવ.
દાદાશ્રી : સર્વધર્મ પ્રત્યે સમભાવ, એ જુદી વસ્તુ છે. સમભાવ રાખનારા એ તો બધા બહુ છે, પણ પ્રમાણ ના દુભાવે. આમ સમભાવ રાખનારા પ્રમાણ દુભાવે. પણ મુખ્ય વસ્તુ એ કે કોઈનું પ્રમાણ ન દુભાય, એ હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : સર્વધર્મ પ્રત્યે સમભાવ.
દાદાશ્રી : નહીં, મમભાવ એ તો મમતા કહેવાય, સમભાવ નહીં. સમભાવ હોય તો તો બધા ધર્મ સરખા થઈ ગયા કહેવાય. સર્વધર્મ સમભાવ હોયને તો પહેલે પગથિયેથી પડેને તો ય માણસ મરી જાય અને નવમે પગથિયેથી માણસ પડે તો ય મરી જાય. એટલે આ બધાય ધર્મો સરખા નથી. જેમ આ દાદરો છે ને, એમ સ્ટેપિંગ છે. પણ તે એમની વાણી કેવી હોય ? કોઈ પણ ધર્મવાળાનું પ્રમાણ ના દુભાય, એવી
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કોઈને મતભેદ પાડવાનું મન ના થાય. જ્યાં બધાં ધર્મવાળા દર્શન કરવા આવે, પક્ષપાત ના હોય. સાવાદ વાણી હોય તો જ કરી શકે. નહીં તો કરે નહીં. એનો બીજો પુરાવો શું જોઈએ પછી ?
એટલે ‘સ્યાદ્વાદ' કોનું નામ ? કોઈનો ય વિરોધ સહન ના કરી શકે, એને સ્યાદ્વાદ કહેવાય જ કેમ ? વિરોધ લાગે છે, એ તો સામાનો યુપોઈન્ટ છે. કોઈના વ્યુપોઈન્ટને ખોટો ના કહે, કોઈનું ય પ્રમાણ ના દુભાય એ સ્યાદ્વાદ. સર્વ વ્યુપોઈન્ટ એમને માન્ય હોય, કારણ પોતે સેન્ટરમાં બેઠા હોય. અમે સ્યાદ્વાદ છીએ, સેન્ટરમાં બેઠા છીએ.
પ્રશ્નકર્તા : તમે ભલે સ્યાદ્વાદ વાણી કહેતા હો, પણ