________________
વાણીનો સિદ્ધાંત
૩૭૭.
૩૭૮
વાણીનો સિદ્ધાંત
થઈને વાત કરું છું. આ બધી આ ટેપરેકર્ડ વાત કરે છે. મારી પોતાની એમાં માલિકી નથી. આ વાત ટેપરેકર્ડની છે.
વાણી, વલ્લભતાવાળી !
મૂર્છા ના હોય તો તું ગમે તે જગ્યાએ સૂઈ જજે. લોકો ના સૂઈ જાય. બધાએ જે જગ્યા નાપાસ કરી હોય, તે તું પાસ કરજે.' પણ આ તો બધી મૂર્છા છે. એટલે મન-વચન-કાયાની મૂર્છા જવી જોઈએ. આ તો વાણી બોલે તો કહેશે કે ‘આજ મારી વાણી કેવી સરસ હતી ને !' એ વાણીની મૂર્છા. એ મૂર્છા ના હોવી જોઈએ.
આ વાણીતી, ન હોય સરખામણી ! પ્રશ્નકર્તા : તો વર્તમાનમાં વિચરતા, તમારા સિવાય બીજા યોગી પુરુષની વાણી અને આપની વાણી, એ બે વચ્ચે શું તફાવત અને સરખામણી છે ?
દાદાશ્રી : ચોખ્ખા જ્ઞાની પુરુષ હોય, એમની પાસે શબ્દેશબ્દ પ્યૉર (ચોખ્ખો) હોય અને પેલું એના જેવા શબ્દો દેખાય ખરા પણ ઈપ્યૉર (મલિન) હોય, ઇફેક્ટિવ (અસરકારક) ના હોય. અને આ ઈફેક્ટિવ હોય.
આ વાણી ટેપરેકર્ડની છે પણ છતાં ચેતન જેવું આ મહીં કામ કરે છે, બિલકુલ ઈફેક્ટિવ ! એટલો બધો ફેર હોય આ તો ! બીજું તો એ યોગી પુરુષ હોય, પણ તે એમાં ક્રોધ-માન-માયા-લોભ સહિત હોય એ લોક અને અહીં તો પ્યૉરિટી (ચોખ્ખાઈ) હોય. મને ધોલ મારે તો હું આશીર્વાદ આપું !
મને કોઈ ગાળો ભાંડે, માર મારે તો મને રાગ-દ્વેષ શેના થાય ? કારણ કે મારે રાગ-દ્વેષ ખલાસ થઈ ગયા છે. એક ક્ષણ પણ અજાગ્રત અમે રહ્યા નથી. જેમ મહાવીર ભગવાનને હતું, સાડાબાર વર્ષ, એવું અમને હોય. હું તો પાડોશી તરીકે રહું છું, આ એ. એમ. પટેલની સાથે અને હું તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છું.
પ્રશ્નકર્તા : વલ્લભતા એટલે શું ?
દાદાશ્રી : વલ્લભતા એટલે વાણી નીકળેને, તો એ વાણી ઉપર લોકો આફરીન થઈ જાય. વલ્લભતા હોય તો જ વાણી ઉપર આફરીન થાય. હવે વલ્લભતાવાળી એટલે કઈ વાણી ? જે વાણી આત્માને હિતકારી છે એવી વાણી. બાકી પેલી ચોરની વાણી હોય ને એ ચોરને બહુ જ ગમે. એને આપણી વાણી ના ગમે. વાણી બોલે ને વલ્લભતા વધે. અને પેલી ભાષા બહુ ઊંચી હોય પણ વલ્લભતા ના વધે.
પ્રશ્નકર્તા : વલ્લભતા જે શબ્દ વાપર્યો છે, એનું જરા વિશ્લેષણ કહો
દાદાશ્રી : વલ્લભતા વસ્તુ એવી છે કે જેની વાણીમાં અહંકાર ના હોય. એટલે જેની વાણી સર્યા કરતી હોય. એવી વાણીથી ત્યાં વલ્લભતા બહુ વધે હંમેશાં. એ વલ્લભી પુરુષ કહેવાય.
પ્રત્યક્ષ સરસ્વતી' આને કહી !
પ્રત્યક્ષ સરસ્વતી બે જગ્યાએ હોઈ શકે. સંપૂર્ણ વીતરાગ એટલે કેવળજ્ઞાની કે તીર્થકરસાહેબની વાણી હોય, એ પ્રત્યક્ષ સરસ્વતી ગણાય છે અને ભેદ વિજ્ઞાનીની વાણી, પ્રત્યક્ષ સરસ્વતી ગણાય. ફોટાનાં દર્શન તો કર્યા હોય, પણ આ સરસ્વતીનાં દર્શન ના કરે ત્યાં સુધી કાન પવિત્ર પણ ના થાય.
લોક પહેલાં કહેતા હતા કે, સરસ્વતી દેવીનું પૂજન કરું છું ? તે આ પ્રત્યક્ષ સરસ્વતી ! દર્શન કયાં તમે પ્રત્યક્ષ સરસ્વતીનાં ? હું તો આવી વાણી સાંભળું કે તરત વાણીનાં દર્શન કરું. મારાં દર્શન ના કરે તો ચાલશે. પણ વાણીનાં દર્શન તો કરવો જોઈએ ને ? પ્રત્યક્ષ સરસ્વતી ! જો કાનમાં
અમે મતમાં તહીં, આત્મામાં ! પ્રશ્નકર્તા : આપ કોઈ મત, ગચ્છમાં નથી, આપ આત્મામાં જ છો ? દાદાશ્રી : હા, આત્મામાં જ હું રહું છું. હું આત્મા જ છું. તે આત્મા