Book Title: Vani No Siddhanta Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 219
________________ વાણીનો સિદ્ધાંત ૪૩૩ ૪૩૪ વાણીનો સિદ્ધાંત નિર્બળતાની નિશાની છે. લોક ખોટા નથી. મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે ‘ભઈ, મને આ સમજણ પડતી નથી.” બાકી લોક ભૂલ કરતાં જ નથી, લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં. જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માગીએ કે ‘ખસી જા, ખસી જા' તો ? પ્રશ્નકર્તા : ના ખસે. દાદાશ્રી : અને આપણે કહીએ કે હું અહીં રહીને જ જવાનો છું” તો ? પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે. હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું. પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું, તેનું શું ? દાદાશ્રી : એ વ્યવહારાધીન છે. પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ? દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો ય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપ-જ્ઞાન ના હોય, તેણે વ્યવહાર, વ્યવહાર-સ્વરૂપ જ રાખવો હોય તો, સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો, એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે. ભગવાન તો “આમ” થવાય ! તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે ‘તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો’ એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય-પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની ય જોડે મતભેદ પડે નહીં. અથડામણ, એ આપણી જ અજ્ઞાનતા ! જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી પ્રશ્નકર્તા: તો ય ના ખસે. દાદાશ્રી : કોનું માથું ફૂટી જાય ? પ્રશ્નકર્તા : આપણું. દાદાશ્રી : ભીંતનું ના તૂટે ને ? એટલે ભીંત જેવું જગત છે. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની ય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે ‘એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?” ત્યારે કહે, “ના.” “બસ, અમારે એટલું જ જોઈએ.' એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો તંદુ જ હોતો નથી ને ! “ચોરીઓ કરી કે દાન આપ્યું” એવું શું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તો ય “જય સચ્ચિદાનંદ ને દાનેશ્વરી જાય તો ય ‘જય સચ્ચિદાનંદ'. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બન્ને રોગીષ્ટ છે. ચોરને ચોરી કરવા પાછળ ઇરાદો શો છે ? “પૈસા લાવીને સુખી થઈ જઉં.” અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે ? કે “પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280