________________
વાણીનો સિદ્ધાંત
૪૩૩
૪૩૪
વાણીનો સિદ્ધાંત
નિર્બળતાની નિશાની છે. લોક ખોટા નથી. મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે ‘ભઈ, મને આ સમજણ પડતી નથી.” બાકી લોક ભૂલ કરતાં જ નથી, લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં.
જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માગીએ કે ‘ખસી જા, ખસી જા' તો ?
પ્રશ્નકર્તા : ના ખસે.
દાદાશ્રી : અને આપણે કહીએ કે હું અહીં રહીને જ જવાનો છું” તો ?
પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે.
હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.
પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું, તેનું શું ? દાદાશ્રી : એ વ્યવહારાધીન છે. પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?
દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ
જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો ય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપ-જ્ઞાન ના હોય, તેણે વ્યવહાર, વ્યવહાર-સ્વરૂપ જ રાખવો હોય તો, સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો, એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.
ભગવાન તો “આમ” થવાય ! તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે ‘તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો’ એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય-પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની ય જોડે મતભેદ પડે નહીં.
અથડામણ, એ આપણી જ અજ્ઞાનતા ! જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી
પ્રશ્નકર્તા: તો ય ના ખસે. દાદાશ્રી : કોનું માથું ફૂટી જાય ? પ્રશ્નકર્તા : આપણું.
દાદાશ્રી : ભીંતનું ના તૂટે ને ? એટલે ભીંત જેવું જગત છે. અથડામણ એ જ આપણી અજ્ઞાનતા છે. કોઈની ય જોડે અથડામણ થઈ, એ આપણી અજ્ઞાનતાની નિશાની. સાચું-ખોટું ભગવાન જોતાં જ નથી. ભગવાન તો એવું જ જુએ છે કે ‘એ ગમે તે બોલ્યા, પણ કંઈ અથડાયું તો નથી ને ?” ત્યારે કહે, “ના.” “બસ, અમારે એટલું જ જોઈએ.'
એટલે સાચું-ખોટું ભગવાનને ત્યાં હોતું જ નથી. એ તો આ લોકોને ત્યાં છે. ભગવાનને ત્યાં તો તંદુ જ હોતો નથી ને ! “ચોરીઓ કરી કે દાન આપ્યું” એવું શું ભગવાનને ત્યાં હોતું જ નથી. એમને ત્યાં તો ચોર જાય તો ય “જય સચ્ચિદાનંદ ને દાનેશ્વરી જાય તો ય ‘જય સચ્ચિદાનંદ'. ચોરને ચોરી કરવાનો રોગ છે અને દાનેશ્વરીને દાન આપવાનો રોગ છે, બન્ને રોગીષ્ટ છે. ચોરને ચોરી કરવા પાછળ ઇરાદો શો છે ? “પૈસા લાવીને સુખી થઈ જઉં.” અને દાનેશ્વરીને દાન આપવા પાછળ શો ઈરાદો છે ? કે “પૈસા આપીને કીર્તિ ફેલાય, એમાં હું સુખી