________________
વાણીનો સિદ્ધાંત
૩૭૯
૩૮૦
વાણીનો સિદ્ધાંત
પેસી ગઈને, કલ્યાણ થઈ જાય.
સરસ્વતીની આરાધના એટલે શું ? વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઈ જાય છે. જૂઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ !
પ્રશ્નકર્તા : એટલે સરસ્વતી દેવી જેવું કશું છે કે નહીં ?
મુક્ત પુરુષની વાણી મુક્ત હોય, એ વાણી તો જુઓ ! એ ‘વિધાઉટ એની પોઈઝન' (સંપૂર્ણ વિષ વગરની) હોય. સરસ્વતી તો જુઓ ! ભગવાન મહાવીર બોલ્યા તે ય પ્રત્યક્ષ સરસ્વતી ! ઈચ્યૉર (મેલવાળું) જ અત્યાર સુધી કર્યું છે, સાંભળ્યું છે તે ય બધું ઈમ્યૉર. પ્યૉરિટીમાં (મેલ વગરમાં) તો અત્યારે એક કલાકથી આવ્યા છે. બાકી કોઈ દહાડો ય પ્યૉરિટી જોઈ ? આ માય સ્પિચ (મારી વાણી) એવું નથી, માટે પ્રત્યક્ષ સરસ્વતી !
કોણ આવું પ્યૉર બોલે ? કે જેને નિર્મમત્વ છે, જેને મમતા નથી કોઈ પણ પ્રકારની, તે આવું પ્યૉર બોલી શકે. બાકી બધા પ્યૉર બોલે નહીં. બધું રક્ષણ જ કરે. સંત પુરુષો છે બિચારા પણ, એમને સમજણ પડે એટલું કરે ને, પછી બીજું રક્ષણ કરે !
દાદાશ્રી : હોતી હશે દેવી ?! એ તો બધા દેવીઓનાં નામ પાડેલાં. બાકી મૂળ પ્રત્યક્ષ સરસ્વતી આને કહી છે. તે આ સરસ્વતીનું પેલા ચારણો-ભાટ લોકો પૂજા કરે. તેથી એમની વાણી સુધરે. સરસ્વતી જીભ ઉપર બેસે. એટલે આ પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. અને એ સરસ્વતી જ્યાં સુધી કાનમાં પેસે નહીં. ત્યાં સુધી માણસ સારસ્વત ના થાય. અને એ વાણી એક કલાક સાંભળે નહીં ત્યાં સુધી જૈન કહેવાય જ નહીં. આ તો નામના જ જૈન છે, નામ લખે એટલું જ..
આ પ્રત્યક્ષ સરસ્વતી સાંભળે ત્યારે બધા રોગો નીકળે. અત્યાર સુધી જે મિથ્યાત્વ સાંભળ્યું છે, તે કાન બધા પછી એના ચોખ્ખા થાય, પ્યૉરિટી આવે. જેમ જેમ સાંભળતો જાય તેમ તેમ પ્યૉરિટી આવતી જાય. જેટલી વખત સાંભળ્યું ને, એટલી વખત અંદર બધું શુદ્ધિકરણ થાય. સાંભળતા જ પાપ નાશ થવા માંડે, મુક્તિ આપે, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય.
ત્યાં નથી આત્મજ્ઞાત ! બાકી આ દુનિયામાં પોતાની વાણીને ટેપરેકર્ડ કોઈ એમ ના કહે. પોતાની વાણી સારી હોય તો ‘કેવી સરસ બોલ્યો હતો ને કેવું સરસ’ એના પર બધું લઈ જાય. ‘ટેપરેકર્ડ’ અમે બોલીએ છીએ. કારણ કે માલિકી વગરની વાત છે આ. પોતાની વાણીને ટેપરેકર્ડ કહે, તે પોતે પરમાત્મા જ થયેલો હોય, તે કહી શકે. બાકી કોઈ કહી શકે નહીં. ‘મારી વાણી છે” એમ કહે સહુ કોઈ. “મને બોલા, મને કેસા બોલા ' માલિકવાળો એનો માલ બતાવ બતાવ કરે. અલ્યા, તું માલિક હતો ?!
જે વાણીના માલિક થયા, ‘હું કેવું બોલ્યો’ એમ કહે છે, તે આત્મજ્ઞાની ય નથી. ત્યાં સમ્યકત્વ ય નથી.
નિરંતર સમાધિમાં...
પ્રત્યક્ષ સરસ્વતી તો જુઓ !! ફોટાની સરસ્વતી, શાસ્ત્રોની કે પુસ્તકોની સરસ્વતી એ પરોક્ષ સરસ્વતી છે. પ્રત્યક્ષ સરસ્વતીનાં દર્શન કરવા હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઈ જાય !
અમારું એક જ વાક્ય સાંભળે અને જો પચાવે તો બહુ થઈ ગયું. કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષનો એક જ શબ્દ હોય તો મોક્ષમાં લઈ જાય. જ્ઞાની પુરુષના શબ્દમાં એનું વજન તો જુઓ ! એ મુક્ત વાણી જુઓ !
અને આ માલિકી વગરની વાણી જુઓ તો ખરાં, એ કેવી સરસ નીકળે છે ! બુદ્ધિને પણ ગાંઠે નહીં, એવું આ વિજ્ઞાન છે. વાણી માય ચિ નથી. માય સ્પિચ નથી ત્યાં ઇગોઇઝમ નથી. જ્યાં ઇગોઇઝમ ના હોય ત્યાં બુદ્ધિ હોય નહીં. અમારામાં એક સેંટ પણ બુદ્ધિ નથી. હું નિરંતર વીતરાગતાની બહાર એક ક્ષણવાર રહ્યો નથી. ખાતાં-પીતાં, બેસતા-ઊઠતાં,