________________
વાણીનો સિદ્ધાંત
વીતરાગ તો તેને કહેવાય, કે કોઈ માણસ તમારો શબ્દ ચેકે નહીં. ભગવાને શું કહ્યું કે વીતરાગ વાણી જે કોઈ પણ માણસ બોલે તો સર્વમાન્ય હોય. આપણે કહીએ કે વીતરાગ વાણી ક્યાં છે ? આમાં તમારું માનવામાં નથી આવતું. એટલે એ વીતરાગ વાણી ન હોય.
૩૭૩
એટલે વીતરાગ વાણી સાંભળી નથી. ને જો સાંભળી હોત તો આ લોકોને દુ:ખ રહેત નહીં. તેથી કૃપાળુદેવે કહ્યું હતું ને કે અમારી હાજરીમાં
અહીં આગળ આવો. ત્યારે તો આપણાં લોકો કહે છે કે આ તો આપણાં વાણિયાનો, પેલા ૨વજીભાઈનો દીકરો આ તો !
જ્ઞાતીને તત્ત્વદ્રષ્ટિ નિરંતર...
પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે અમારે નિરંતર શુદ્ધ ઉપયોગ હોય, તો એ ઉપયોગ શું છે ?
દાદાશ્રી : અમે નિરંતર શુદ્ધ ઉપયોગમાં હોઈએ. શુદ્ઘ ઉપયોગ એટલે શું ? આ જે બોલે છે, તે અમે આ નથી બોલતા. આ ટેપરેકર્ડ બોલી રહી છે તમારી સાથે ને હું જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. જ્ઞાતા-દ્રષ્ટાપણું, એનું નામ શુદ્ધ ઉપયોગ. આ બધાંને જોઉં છું, તે પણ શુદ્ધ જ જોઉં છું હું. આ લૈડિયા છે કે આ જવાન છે કે આ સ્ત્રી છે એવું તેવું હું નથી જોતો. મૂળ તત્ત્વોને જોઉં છું. તત્ત્વદ્રષ્ટિ નિરંતર રહેવી એનું નામ શુદ્ધ ઉપયોગ.
શરીરનું માલિકીપણું છે, મનનું માલિકીપણું છે, વાણીનું માલિકીપણું છે ત્યાં સુધી પરમતત્ત્વ સાંભળ્યું નથી, જોયું નથી, શ્રદ્ધેલું નથી. અને જે સાંભળ્યું છે, જોયેલું છે, એ પરમતત્ત્વ છે જ નહીં. એ કલ્યર્ડ પરમતત્ત્વ છે. સાચું પરમતત્ત્વ તો ક્યારે થાય ? દેહનો માલિક ના હોય ! આ તો સાચું મળતું નથી ત્યાં સુધી લોકો કલ્યર્ડને વાપરીને પણ દહાડા
કાઢે છે.
વાણી સોંસરવી ઊતરે !
મુસ્લીમો, યુરોપીયનો, ફોરેનર્સ, એટ-એ-ટાઈમ બધા ભેગા બેઠા
વાણીનો સિદ્ધાંત
હોય, તે બધાયને એક્સેપ્ટ કરવી પડે. તમને એકલાને વાત કરતો હોઉ, પણ એ વાત બધાને એક્સેપ્ટ હોય.
૩૭૪
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને જે કહ્યું તે જ આપ કહો છો, પણ એ તો બધું પહેલાં અમે વાંચતા હતા, સાંભળતા હતા, પણ કશું સમજાતું ન હતું ને આ તો સીધું ઊતરી જાય છે.
દાદાશ્રી : ઉતરી જાય ને પણ. સીધું ઊતરેને ! આમાં ચોખ્ખું આપું છું ને. આમાં જો જરાક મને મારાપણું કર્યું હોત ને, તો સીધું ના ઊતરત. અહીં થોડું વળગી જાત. આ ‘મારી વાણી’ થયું હોત ને, તો એ થોડુંક
વળગત.
પ્રશ્નકર્તા : તો ય એના કરતાં કંઈક વિશેષ લાગે છે, આ ઊતરી જવાનું કારણ કંઈક વિશેષ લાગે છે.
દાદાશ્રી : આ પ્યૉર માલ છે. ચોખ્ખો માલ છે ને ! ‘માય સ્પીચ’ (મારી વાણી) એવું ય નથી બોલ્યો ને. તેનું આ ફળ છે ને બધું.
પ્રશ્નકર્તા : આપનાં બધાં વાક્યો આમ હવે ફટાફટ બેસી જાય છે સમજણમાં.
દાદાશ્રી : બધાં બેસી જ જાય અને બેઠાં વગર રહેવાનાં નથી. આ તો બધું એક્ઝેક્ટ (જેમ છે તેમ) છે. માય (મારું) એટલે તું માયવાળો છે ? માટે તું ભગવાન ન હોય. એટલે આ અમારી માય સ્પીચ નથી. આ અમે કહીએ છીએ ને કે આ ટેપરેકર્ડ બોલે છે ને અમે સાંભળીએ છીએ. અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીએ છીએ.
આ તો પ્યૉર ભાષા હોય ને, બસ ? પ્યૉરિટી હોય ને ! શબ્દે શબ્દ પ્યૉર હોય. સહેજ પણ એમાં ક્રોધ ના હોય, માન ના હોય, કપટ ના હોય, કશું હોય નહીં આ.
અમારી છે પરાવાણી !
પ્રશ્નકર્તા : ‘જ્ઞાન’ આપ પરાવાણીથી આપો છો કે અપરાવાણીથી