________________
વાણીનો સિદ્ધાંત
૩૨૭
૩૨૮
વાણીનો સિદ્ધાંત
કે અમારાથી એક અક્ષરે ય અવળો ના બોલાય. આ હું તો આટલો સ્વીકાર કરી લઉં. મને તો એક ક્ષણવાર તીર્થકરોની વાણી ઉપર સહેજ પણ એવી શંકા થઈ નથી.
નહીં એકેય, ઉત્સુ મહીં જે ઉગેલું હોય ને, બીજું પહેલાંનું તે ય ધૂળધાણી થઈ જાય !
વચનબળ બાપ બેટા આગળ ! આપણે કહીએ તમારું વચનબળ એવું બોલો ને જેથી મારું મહીં થાય કંઈ. વચનબળ તો મુખ્ય વસ્તુ. મનુષ્યને વચનબળ ના હોય તો કામનું જ શું?
બાપ છોકરાને કહે કે ‘દાદાજીને પગે લાગ.” ત્યારે છોકરો સૂઈ જાય છે, ત્યારે બાપનું વચનબળ કેવું કહેવાય ? કેમ આટલું લૂઝ થઈ ગયું છે વચનબળ ? કારણ કે વાણી લૂઝ રીતે વાપરી છે. જૂઠ, કપટ, બદમાશી, હેરાનગતિ, લોકોને દુઃખ થાય તેવી વાણી, વાણીનાં બધાય પર્યાયો ખરાબ કરી નાખ્યા છે. પછી મેં એના બાપને કહ્યું “કઈ જાતના માણસ છો, તારું વચનબળ ક્યાં ગયું ? છોકરા પર નથી ચાલતું તો બીજી જગ્યાએ શી રીતે ચાલશે ?” છોકરો તારું કહેલું નથી કરતો અને તે નાનું બાળક, મોટું વીસપચીસ વરસનું હોય તો જાણે કે એને અહંકાર જાગેલો હોય. પછી મને કહે છે કે “એ છે જ આડો.” તે મેં કહ્યું કે “એ આડો નથી. તું આડો છે. તને બાપ થતાં નથી આવડ્યું.’ પછી એ છોકરાને બહુ એના બાપે કહ્યું, ને પછી બહુ સમજાય સમજાય કર્યો. એના બાપે કહ્યું ત્યારે આમ અવળું ફરીને કર્યું, આમ મોટું ના દેખાડયું. શું સમજતો હશે છોકરો ? એ છોકરાને એટલો બધો અહંકાર મહીં.
પછી મને કહે છે, “કેટલો આડો છે ?” મેં કહ્યું, ‘એ આડો નથી” પછી મેં કહ્યું, ‘બાબા, જય સચ્ચિદાનંદ.’ તો તરત આમ એક વખત નહીં, પાંચ વખત કરવા માંડ્યો પાંસરો. આ તો જગત આખું ભમરડા છાપ છે. તેમાં વચનબળની જ જરૂર છે. એ તો બધા કૂદાકૂદ કરે. વચનબળ ના હોય તો શું થાય ? આખું જગત ભમરડો છે ! મેં લખ્યું છે, પુસ્તકમાં લખ્યું છે, ટી-ઓ-પી-એસ, ‘ટોસ'.
અમારું વચનબળ છે. વચનબળવાળું એ વચન ઉગે. નહીં તો ઉગે
વચનબળતી તરતમતા ! પ્રશ્નકર્તા: પરમ કૃપાળુદેવની વાણી બુદ્ધિથી સમજાય છે, પણ એનો અમલ થતો નથી.
દાદાશ્રી : અમલ કરવાનો જ નથી. અમલ ક્યારે થાય ? એ હાજર હોય ત્યારે થાય. પછી તો જાણવાની જ જરૂર છે. અમલ તો હાજર હોય ને ના થાય તો આપણે કહીએ કે તમારું વચનબળ ઓછું છે. વચનબળ તો હોવું જ જોઈએ ને ! વચનબળ એટલે સામાને શક્તિ ના હોય તો ય કામ થઈ જાય. અહીં આગળ ત્રણ હજાર માણસ ભેગાં થયાં હોય, તે ઘડીએ હું બોલું કે બધા એકદમ ઊભા થાવ અને સાષ્ટાંગ નમસ્કાર કરવા માંડો. તો બધા ઊભા થઈ જાય ને સાષ્ટાંગ નમસ્કાર કરવા માંડે, એ વચનબળ. વચનબળ એટલે શું કે વચન જ કામ કર્યા કરે. વચનનું બળ છે, મારું બળ નથી. આ જ્ઞાનીઓનું વચનબળ આવું. અને અજ્ઞાનીનું વચનબળ જોયેલું નહીં તમે ?
પ્રશ્નકર્તા : અજ્ઞાનીનું વચનબળ હોય જ નહીં.
દાદાશ્રી : એ વચનબળ અમુક હોય. વચનબળ એટલે શું? વાણી સંબંધી અમુક નિયમ પાળવા. એનાથી વચનબળ રહે. તે અજ્ઞાનીને ય વચનબળ હોય. એક લાખ માણસ ઊભું હોય (મિલીટરીમાં), તો લેફટ કહે તો લેફટ ને રાઈટ કહે તો રાઈટ. જાણે મશીનરી ચાલે છે ! એ અજ્ઞાનીનું વચનબળ તો જુઓ ! એ અજ્ઞાનીનું વચનબળ નહીં ?
પ્રશ્નકર્તા : જ્ઞાનીનાં વચનબળમાં સહજતા હોય ને !
દાદાશ્રી : આ સહજતા ને એ અસહજતા. એ તો મૂળ જ અસહજતા જ છે ને ! એ વિકલ્પ જ છે ને ! પણ આમ કહેતાંની સાથે જાણે મશીનરી ઊભી થઈ જાય, એવું થઈ જાય. આપણે ઘડીવાર જોઈએ ને, તે હાથ હલ એકદમ સીધો જ થઈ જાય ! ટૂંકો હાથ હોય, પણ ટૂંકો