________________
૨૩૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૩૭
દાદાશ્રી : હા, પણ આ એક ફેરો તું દર્શન કરવા આવ. સમજણ નહીં હોય તો, પુસ્તક વાંચ્યું નહીં હોય તો વાંધો નથી. તું મારી પાસે આવ. અરે, મને હાથ અડાડી દે ને, આમ હાથ ઘસી જા એક ફેરો, જા ! જોઈ લે, પછી એનું ફળ શું આવે છે તે ! એનું ફળ શું આવે છે, તે જોઈ લે જે.
તેટલો સારો ગયો, એનું પુણ્ય બંધાય.
પ્રશ્નકર્તા ઃ આપે એક ટકો માન્ય રાખ્યો, પણ જેને જ્ઞાન લીધું છે..... દાદાશ્રી : તેની તો વાત જ જુદી ને ! પ્રશ્નકર્તા : એને દાદા પ્રત્યક્ષ ન હોય ત્યારે એને લાભ થાય ને !
દાદાશ્રી : હા, તો ઘણું, પૂરેપૂરો. એ દાદાને જેણે જોયા છે, દર્શન કર્યા છે, “જ્ઞાન” લીધું છે, એને પૂરો લાભ છે.
પ્રશ્નકર્તા : તો એટલું અંદર એટલું ઉમેરાવો ને !
દાદાશ્રી : હા, એ તો પુસ્તકમાં લખીએ, એમાં ! એ પુસ્તક, તમે જે લાવો તે પુસ્તકમાં નીચે લખી આપું !
બાકી બહારના લોકોએ તો અનંત અવતારથી આ વાંચવાંચ જ કર્યું છે, બીજું કશું નથી કર્યું ! અને એટલા બધા કાગળ આવે છે, શું સરસ પુસ્તક છે. આ પુસ્તક જોઈને અમે તો બધા પચાસ માણસ ભેગા થઈને બધું આખો દહાડો આરાધના કરીએ છીએ. પણ ભેગા મને થયા નથી ! રામ તારી માયા !! કાગળ મોટા મોટા આવે છે સરસ કે આવું સાંભળ્યું નથી, જોયું નથી એવું !
પ્રશ્નકર્તા : એ જીભ અને બુદ્ધિ સુધી કદાચ પહોંચે છે. દાદાશ્રી : એ બુદ્ધિનો સંતોષ છે આ તો. પ્રશ્નકર્તા : પણ અંદર ઊતરતું નથી.
દાદાશ્રી : શી રીતે ઊતરે પણ ? આ તો બુદ્ધિનો જો સંતોષ થયો ! બુદ્ધિ સેટિસફેકટરી થાય નહીં કોઈ દહાડો અને થઈ એટલે મજા આવે તે ઘડીએ એને ! આવું અનંત અવતારથી આ લોકો કરતા આવ્યા છે ! એક અવતાર તું જ્ઞાની પુરુષને મળ, બીજું ભણેલો નહીં હોંઉ તો ય ચાલશે.
પ્રશ્નકર્તા : હા, મુખ્ય કહેવાનું આ છે !
અમે પહેલાં ટ્રેનમાં આવ-જા કરતા હતા ને, ત્યારે પાંચ-પચાસસો માણસ સ્ટેશન ઉપર મૂકવા આવે બધા. અને પછી તેમાં પેલા બહારના લોકો ભળે પેલા, ગાડીવાળા મહીં. આવું બોલ બોલ કરે ને, તે બધાય દર્શન કરવા આવે મહીં કોઈ કોઈ. એમાં કો'કના માથા ઉપર આમ આમ ટપલો માર્યા ને તે પછી શું કહેતાં હતા ? ત્રણ દહાડા સુધી સમાધિ ગઈ નહીં કહે છે. ‘દાદા, દાદા’ દેખાય, આખો દહાડો સમાધિ રહ્યા કરે. જોને બધી અજાયબી કેવી છે તે !
ગેઝેટેડ વાણી કોતી ? કૃષ્ણ ભગવાનની વાણી હોય તો ગેઝેટેડ કહેવાય. મહાવીર ભગવાનની વાણી ગેઝેટેડ કહેવાય. કોઈ જ્ઞાનીની વાણી હોય તો ગેઝેટેડ કહેવાય. આ ગમે તેવા માણસોની વાણી લઈએ. ઉતારામાંથી ઉતારો કરીને લખે તે શું કામનું ? કોઈની જોડે વાત કરતાં ન આવડે ને આમ મોટા આખા એ શ્લોકોના શ્લોકો, બધા લખે. વહુ જોડે વાત કરવાની તો આવડે નહીં ! આ એવું ગેઝેટેડની જરૂર પડે છે. ગેઝેટેડ નથી ને ત્યાં, કૃષ્ણ ભગવાનની વાત હોય તો લાવો. આ દુર્યોધનની વાત લાવો તો શું થાય ? એ ગેઝેટેડ ના ગણાય. તે આ અર્જુનની વાત લાવો તો શું થાય ? ગેઝેટેડ નથી ? ના..... એ બધી સામાન્ય પબ્લિક બધી. આ ભક્તોની વાત લો, એ ગેઝેટેડ કહેવાય ? ના, એ ગેઝેટેડ નથી. ગેઝેટેડ એટલે ભગવાનની જોડે બેસનારા ! શું કહ્યું? પાછા સમાન ભાવથી બેસનારા કે “આ એ ઉઠે એટલે આપણી જ ગાદી છે,' એવું કહે, માને છે.
આલંબન જ્ઞાતીની વાણી તણું ! પ્રશ્નકર્તા કૃપાળુદેવે કહ્યું છે ને જ્ઞાનીની વાણી એ કેવળજ્ઞાન થતાં