________________
વાણીનો સિદ્ધાંત
૨૬૫
એ કંઈ મારું ડહાપણ નથી. આ તો ગીફટ છે. મારું ડહાપણ એટલું બધું હોતું હશે ? કાગળ લખવો હોય ને, તો ય મને નથી આવડતો. લોકોનું કલ્યાણ થવાનું નિમિત્ત, પણ ગીફટ છે એ અને એ ગીફટને માટે મારી બધી તૈયારી છે.
પ્રશ્નકર્તા: એનાં માટે પાત્ર હોય તો જ ગીફટ આવે ને ?
દાદાશ્રી : હા, બાકી મારું ગજું નહીં આ. અને આ વાણીનું બહુ, હાઈ કવૉલીટી છે. આ વેલ્ડિંગ જુદી જાતનું છે.
પ્રશ્નકર્તા: બધાને સમજાય એવું અને સાદી-સરળ ભાષામાં.
૨૬૪
વાણીનો સિદ્ધાંત તો શીખ શીખ કરવાનું ! આ શીખવાનું ને આ શીખવાનું !
પ્રશ્નકર્તા : પણ એ હસતાં હસતાં ના શીખાય ?
દાદાશ્રી : ના, હસવાનું નામ ય નહીં. કશું હસવાનું નહીં. આ અહીં આગળ હસતાં-રમતાં છે તમારે. તો આપણે કેવો સરસ લાભ ઊઠાવવો જોઈએ ! આ પૂર્ણપણે લાભ મેળવવો જોઈએ.
પ્રશ્નકર્તા: અહીંયા તો બધું હસતાં હસતાં જ છે !
દાદાશ્રી : એ જ હું કહું છું ને ! હસતાં-રમતાં કશી મહેનત વગર બધું થાય છે. તો પછી પૂરેપૂરો લાભ ઊઠાવવાને માટે આપણે જાગૃતિ રાખવી જ જોઈએ. અહીં જાગૃતિ મંદ કરાય નહીં. ભલે કારખાનાનું જે થવું હોય તે થાય. કારખાનાનું બીજું કશું થવાનું નથી, ‘વ્યવસ્થિત'ની બહાર. પણ ગભરાવાની જરૂર નહીં.
આ છે તિર્વિકલ્પ વાણી ! આ નિર્વિકલ્પી વાણી છે. એ વાણી નિર્વિકલ્પની છે અને એમની પાસે બેસીએને, તો બધા દુ:ખ શાંત, શમી જાય. જગત વિસ્મૃત થઈ જાય.
કેટલાક માટે આપણને લાગે કે “ઓહોહો ! આ ભઈ કેટલા સુખી છે !' પણ તેમને અંદર પાર વગરનું દુ:ખ હોય. દુઃખ બધે ખરાં. એક જ્ઞાની પુરુષ એકલાને દુઃખ ના હોય. દુઃખ હોય તો વાણી સારી ના નીકળે. ઘા પડેલી વાણી નીકળે. ટેન્શનવાળી વાણી નીકળે.
દાદાશ્રી : હા, સારી ભાષામાં. પણ એ ભાષા પર કાબુ નથી, ભાષા ઉપર આધાર રાખતું નથી. વેલ્ડિંગ બહુ ઊંચું અને આ હૃદયસ્પર્શી વાણી. એક શબ્દથી તો કેટલાંય રોગ નીકળી જાય સામા માણસના, એવા વેલ્ડિંગ !
તમારે દુ:ખ પડેલાં ને ? હૈ, તમને હઉં ?! તારા પાડોશમાં લોકો બધાં સુખી છે ને ? એ લત્તો બધો સુખી ને ?
ભગવાન” “અમને' વશ ?' પ્રશ્નકર્તા : આપની નિખાલસ વાણી ને નિખાલસ હાસ્ય, એનું રહસ્ય શું છે ?
દાદાશ્રી : ભગવાન મને વશ થઈ ગયા છે. આખા ચૌદ લોકનો નાથ, જે બ્રહ્માંડ, જેને આખું જગત માની રહ્યું છે તે એ ભગવાન મને વશ થઈ ગયેલા છે.
અમે સ્વતંત્ર સુખ ભોગવી રહ્યા છીએ. તમારો ઉપરી જ મેં કોઈ જોયો નથી. મારો ઉપરી વર્લ્ડમાં (જગતમાં) કોઈ નથી અને જે ભગવાન છે એ તો મને વશ થઈ ગયેલો છે. શા માટે વશ થઈ ગયેલો ? મારી ગરજે કે એમની ગરજે ? એમની ગરજે વશ થાય મને. હું તો ‘એ ઉપરી છે, તે સારા છે' એમ કહું. પણ એ જાય ક્યાં હવે ? એમને જે કામ કરવું છે, તે શી રીતે કામ થાય ?
પ્રશ્નકર્તા : એમને શું કામ કરવાનું છે, દાદા ?
આ તો કુદરતી ગીફટ !! અમારી વ્યવહારિક વાણી સિવાય જે બધી વાતો અમારી હોય ને, એને કોઈ રોકી શકે નહીં. ત્રિકાળ સત્ય ! હું આ જ્યારથી બોલું છું ને, ત્યારથી એકે ય શબ્દ ચેકવો જ નથી પડ્યો. આ હું બોલું છું ને, ત્યારથી શબ્દ શબ્દ સાચો છે. તો આ મારું ડહાપણ છે ? આપણું આ વિજ્ઞાન,