________________
૨૮૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૮૯
દાદાશ્રી : ભલે મુક્ત ના થયેલા હોય, પણ કષાયો મંદ થઈ ગયેલા હોય તો એની પાસે સાંભળવું. કષાયો મંદ કોને કહેવાય ? કે પોતાને ક્રોધ-માન-માયા-લોભ થાય, પણ સામાને એની ઝાળ ના અડે. એની આંખોમાં ન દેખાય તો ત્યાં સાંભળવું અને આપણે ભૂલથી બોલીએ કે ‘મહારાજ સાહેબ, તમારી વાત મને ના ગમી' ને એ ફેણ માંડે તો આપણે જાણવું કે આ દુકાન આપણી ન હોય. આપણે બીજી દુકાન કરવી. આપણે મહારાજને વઢવું કરવું નહીં. કારણ કે આપણે જાણીએ કે જેની દુકાનમાં જે હોય એ આપે. બીજો માલસામાન ક્યાંથી લાવીને આપે ? એટલે આપણે દુકાન બદલી નાખવી.
કેટલી બધી દુકાનો ! ઓહોહો, આ બજારમાં ઓછી દુકાનો હશે ? આ દુકાનમાંથી પેલી, પેલી દુકાનમાંથી પેલી દુકાનમાં. પણ જે કહે કે, ‘હા, આવી જશે, છ મહિનામાં આવી જશે. તમે આવો.” તો ત્યાં બેસવું.
એમાં કોઈ ઊતરી ગયો, તો છ મહિના જ ગયા. બીજા જિંદગીનાં વર્ષો છે ને મહીં ? એટલે આપણને ખબર પડે કે આ પેલા જેવા જ છેતરનારા બીજાં છે. એટલે આ દુકાન કામની નહીં. પછી આપણને ખબર પડે ને ! એમ કરતાં કરતાં સાચો મળી આવશે.
પ્રશ્નકર્તા : એટલી અવેરનેસ આવવી જોઈએ ને ?
મોક્ષ માટે આ બધું.....' કહ્યું, ‘આમાં મોક્ષની વાત શેની કરો છો તે ? અને આ વ્યાખ્યાનો આપો છો, તે વ્યાખ્યાન ના અપાય તમારાથી. શાના આધારે તમે વ્યાખ્યાન આપો છો ? સર્ટિફિકેટ છે તમારી પાસે કોઈ જાતનું ? ઉપદેશ આપવાની લાયકાત ધરાવો છો, એવું લાયસન્સ છે તમારી પાસે ? ત્યારે એ કહે છે, “કેમ એવું પૂછો છો ?” મેં કહ્યું, ‘તમને શાસ્ત્રના આધારે પૂછું છું કે કોઈ પણ શાસ્ત્રમાં દેખાડો કે તમને ઉપદેશ આપવાનો અધિકાર છે ?” પછી એ કહે છે, “પણ અમારું આ પદ બધું વિધિપૂર્વક કર્યું છે.' મેં કહ્યું, ‘પણ એ તો તમે માંહ્યોમાંહ્ય ભેગા મળીને એ પદને બધું ખોળી કાઢ્યું છે ને !' ત્યારે એ કહે છે, “અમારે છઠ્ઠું ગુઠાણું ન હોય ?” મેં કહ્યું, ‘આ છઠ્ઠ ગુંઠાણું છે, એ તો વ્યવહારથી છે અને નિશ્ચયથી છઠ્ઠા ગુંદાણાવાળાને વ્યાખ્યાન આપવાનો અધિકાર છે. તમે ક્યાં વ્યાખ્યાન આપવામાં પેસી ગયા છો ?” ત્યારે એ કહે છે, ‘પણ લોકો બધા સાંભળવા આવે છે ને !' મેં કહ્યું, ‘લોકો તો સાંભળવા આવે જ, લોકોનું શું જવાનું છે ? તમારું જશે. ખોટ તમને જવાની છે. સાંભળનારને કશું ય નહીં થાય. સાંભળનાર તો હરે હરે કરશે. એમને ઘેર નથી ગમતું એટલે તો અહીં આવીને બેસી રહ્યા છે. ત્યારે એ કહે છે, ‘કેમ, એમાં શો વાંધો છે ? અમને શી ખોટ જવાની છે ?” મેં કહ્યું, ‘કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કે જવાની નિશાની છે.” એટલે એ તરત સમજી ગયા ને કહે છે, “એ તો અમે એ જ કરીએ છીએ.’ મેં કહ્યું, ‘આ તો વાત કહી દઉં છું. તમારે જે અનુકૂળ આવે તે કરો ને ! તમારો કંઈ માલિક નથી હું. હું તો કહી છૂટું.
પ્રરૂપણા કષાયસહિત ! આ બોર્ડ સમજવું પડશે કે કષાયસહિત પ્રરૂપણા કરવી એ નર્કની નિશાની !”
દાદાશ્રી : અવેરનેસ જોઈતી હોય તો મારી પાસે આવજો. બીજું શું જોઈએ ? અવેરનેસની જરૂર. અવેરનેસ વગર શું યાદ આવે ? જાગૃતિ પહેલી જોઈએ. તે મારી પાસે આવજો. જાગૃતિ તમને આપીશ.
સમજવા જેવી વાત, પ્રરૂપકોને ! પ્રશ્નકર્તા : પણ એ લોકો ઉપદેશ નથી આપતા. પણ ભગવાને જે કંઈ કહેલું છે, એ જ કહે છે.
દાદાશ્રી : એ બોલવાનો અધિકાર જ નથી. એટલે કેટલાંકને હું પૂછું કે, “સાહેબ, આપ શું શું કરો છો ?” ત્યારે એ મને કહે છે, “બપોરે વ્યાખ્યાન આપીએ છીએ. આટલા બધા શાસ્ત્રો ભણીએ છીએ. અમારા
બહુ સ્ટ્રોંગ વાક્ય બોલું છું. પણ આની પાછળ કરુણા છે અમારી ! અરે, આ નર્ક જવાનું ક્યાંથી ખોળી કાઢયું ? પ્રરૂપણા કરવા બેઠા. (!). જાણે પોતાનું કલ્યાણ થઈ ગયું, તે લોકનું કલ્યાણ કરવા બેઠાં. (!) કષાય ખરા કે નહીં ? કષાય છે અને પ્રરૂપણા કરો છો, તો નર્ક જશો.