________________
૨૯૬
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૯૭
તેરમું ગુઠાણું એ કેવળજ્ઞાન થયું. પછી દેશના હોય. પછી તો કોઈ સામે આવીને ઊભો રહ્યો હોય ને એ આમ જે' જે’ કરે, હવે એ નર્ક જવાનો હોય તો ય ભગવાન એને એમ ના કહે કે તું આમ થઈ જઈશ. કારણ કે ખટપટ ના કરે છે. એકની પર રાગ અને એકની પર દ્વેષ, એવું નહીં.
પ્રશ્નકર્તા : એ તો બરોબર. પણ એવો જે પાપી હોય, તે ત્યાં આવીને તીર્થંકરને પગે લાગે, તો એનાં પાપ હળવાં થઈ જાય ને તરત ? દાદાશ્રી : ઘણાં બળીને ખલાસ થઈ જાય.
એ ક્યું કર્મ ? પ્રશ્નકર્તા : ભગવાન દેશના આપે, એ ક્યું કર્મ કહેવાય ?
દાદાશ્રી : આખી ટેપરેકર્ડ ઉકલ્યા જ કરે ને, ટેપ વાગ્યા જ કરે. અમુક વિષય ઉપર, એવું તેવું કશું નહીં.
પ્રશ્નકર્તા : એટલે એની મેળે જ નીકળ્યા કરે ?
દાદાશ્રી : એની મેળે જ નીકળ્યા કરે. ત્યાં સાંભળવાનું જ હોય. દેશના એનું નામ કે કેવળ સાંભળવાની જ.
અમારી ય દેશના હોય છે, પણ અમારી દેશના ઉપદેશ-આદેશના ડંખવાળી હોય. પેલી દેશના તો કોઈ જાતની ખેંચ નહીં. બધી જ જ્ઞાતિઓ સાંભળે. બધા જ પોતાની ભાષામાં સમજે, જાનવરો પણ પોતાની ભાષામાં સમજે. એ તો અમે ય અનુભવ કર્યો છે કે અમારી ભાષા જાનવરો સમજે છે પણ અમારી ઓછી સમજે અને તીર્થંકરોની પૂરી સમજી જાય.
તે વાણીના માલિક તહીં પોતે ! પ્રશ્નકર્તા : દેશના તીર્થંકરો માટે જ કહી છે ને ? અક્રમમાં ખરી એ ?
દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાની તો સંપૂર્ણ જ્ઞાની છે ને ! આ તો
દેશના જ કહેવાય. જ્ઞાની પુરુષ પછી આગળનાઓની દેશના જ હોય. એ ઉપદેશ ના આપે.
પ્રશ્નકર્તા એટલે ક્રમિક માર્ગમાં દેશના ના હોય ને, જ્ઞાનીને ?
દાદાશ્રી : ત્યાં ના હોય. ક્રમિકર્માગના જ્ઞાનીઓની દેશના કહેવાય નહીં. એ બધા જ્ઞાનીઓનો ઉપદેશ કહેવાય.
પ્રશ્નકર્તા : તીર્થંકરને દેશના હોય ને ?
દાદાશ્રી : તીર્થંકરને ખરી દેશના. કેવળીને દેશના હોય નહીં. દેશના અક્રમ વિજ્ઞાની એકલાને જ હોય અને તીર્થકરોને હોય, બસ.
પ્રશ્નકર્તા : ગણધરોને હોય ને ? દાદાશ્રી : ગણધરોને દેશના નહીં.
દરેક કેવળજ્ઞાનીને અને કેવળીને શૈલેષીકરણ સરખી થાય. ફક્ત એમને આ તીર્થંકરનાં જેવી દેશના ના નીકળે, એક અક્ષરે ય ના નીકળે. જોડવાળા માણસને એક અક્ષરે ય સમજાવવાની વાત ના આવડે.
દેશના તીર્થંકર સિવાય કોઈને ય હોય નહીં. અમને તો અક્રમ વિજ્ઞાની તરીકે દેશના ખરી. તીર્થંકરની અને બુદ્ધિ વગરના જ્ઞાનીની વાણી દેશનારૂપે હોય, ઉપદેશ ના હોય. બુદ્ધિવાળા જ્ઞાનીની વાણી દેશનારૂપે ના હોય, ઉપદેશ હોય. અમને તો ઉપદેશ હોય નહીં. અમે તો કોઈ દહાડો ઉપદેશ કર્યો જ નથી. અમારે તો ખાલી દેશના જ હોય. તે અત્યારે તમે આ દેશના સાંભળો છો. ધન્યભાગ્ય છે આ લોકોનાં ! લોકોનાં કલ્યાણ માટે છે.
સહજ સ્વભાવે સરે. પ્રશ્નકર્તા : હવે, દેશનાનું સ્વરૂપ સમજાવો.
દાદાશ્રી : દેશના એટલે આમ સહજભાવે વાણી નીકળ્યા કરે, બોલે નહીં. સ્વભાવિક વાણી નીકળ્યા કરે, ઉદયભાવે. એની ગોઠવણી નહીં,