________________
૨૮૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૮૧
દાદાશ્રી : આદેશ એટલે એક જાતનો હુકમ કરવો. આદેશમાં હુકમગીરી હોય, સત્તાગીરી હોય કે “અમે તને આ કહીએ છીએ, તારે કરવાનું જ છે.” એ કહેનાર માણસ એમ કહે છે કે, ‘તારે આટલું કરી લાવવું જ પડશે.’ આમ નામ દઈને કહેશે કે, “ચંદુભાઈ, તમારે આમ કરવું પડશે.' એની પાછળ પોતાનો ઓર્ડર હોય છે, મહીં ઓર્ડરની ભાષા આવી.
પ્રશ્નકર્તા : એટલે આદેશમાં કરાવવાનું દબાણ હોય. દાદાશ્રી : મહીં દબાણ હોય, ઓર્ડરની નજીકનું જ કહેવાય. પ્રશ્નકર્તા ઃ આજ્ઞા જેવું કહેવાય ?
દાદાશ્રી : ના. આજ્ઞા એની હોતી હશે ? એ આજ્ઞાને સમજતો જ ના હોય ને ! આદેશ કરનારો આજ્ઞા જ સમજે નહીં. જે પોતે જ ના સમજે, તો આજ્ઞા શેની કરે ?
આદેશ, ઘરમાં તે ધરમમાં ! જેમ પોલીસખાતાના માણસ હોય ને, તે ઓર્ડર કરે કે ‘આમ કરવું જ પડશે.’ એમ આદેશ દેનાર હોય ને, શ્રર તેની નીચેના પદવાળાને આદેશ કરે. એવા આદેશ કરનારા જોયેલા નહીં ?
પ્રશ્નકર્તા : હા, આદેશ જોયેલા. ત્યાં ઉપાશ્રયમાં લગભગ આદેશ જ હોય છે ને !
દાદાશ્રી : અને આપણા ઘરમાં શું હોય છે ? પ્રશ્નકર્તા : ઘરમાં તો આદેશ જ હોય.
દાદાશ્રી : ‘કેમ અલ્યા, આવું કરે છે? આવું તારે નહીં કરવાનું. તું આમ કરજે, તેમ કરજે.” મા-બાપ બધાં આવું બોલે. એવું બોલતાં નહીં જોયેલું ? એ વાતમાં શું હશે ? ‘કાલથી તારે પાન ખાવાનું નથી.” એને શું ઉપદેશ કહેવો કે આદેશ કહેવો ?
પ્રશ્નકર્તા : એ આદેશાત્મક થયું.
દાદાશ્રી : હા, એવા ત્યાં ગુરુઓ ય હોય છે. મિથ્યાત્વ દશામાં આજે ઉપદેશ અપાય છે ને, એ ઉપદેશ નથી. એ આદેશ છે. ‘તમે આ છોડી દો, તમે ફલાણું છોડી દો, બીડી છોડી દો.” એવું વ્યક્તિગત રીતે કહેતા હોય, તો એ આદેશ કહેવાય. “આજથી તારે બટાકા ખાવાના નહીં.’ ત્યારે પેલો કહેશે, “સાહેબ, મને બટાકા સિવાય બીજું કશું શાક ભાવતું નથી.” ત્યારે સાહેબ કહેશે, ‘હું તમને ના કહું છું ને, કે તારે ખાવાનું નહીં.” એ આદેશ કહેવાય.
કેટલાંક માણસો એમ કહે, ‘તમારે લીલોતરી છોડવી જ પડશે.” એ આદેશ કહેવાય. એમાં ઓર્ડર કરે છે. આદેશ કોણ આપે ? મિથ્યાત્વી. વળી આંગળી કરીને કહે. તે આદેશમાં આંગળી નથી હોતી. આંગળી તો બહુ ભારે કહેવાય. આદેશથી આગળ જાય. તે આદેશ બંધ થઈ ગયો આ લોકોને. એથી ય આગળ ગયો આદેશ તો. સડી ગયેલો આદેશ, પછી ગાઢ આદેશ, અવગાઢ આદેશ, ને બધું કહે છે ને !
ઓર્ડર તો કોતો મતાય ? પ્રશ્નકર્તા : અમે જે ધર્મ પાળીએ છીએ, તેમાં અમને અમારા ધર્મગુરુઓ ઓર્ડર આપ્યા કરે છે કે “તમારે કાંદા નહીં ખાવા, રાત્રિભોજન નહીં કરવું, આમ નહીં કરવું, તેમ નહીં કરવું, ક્રિયાકાંડ કરવાં, તપ
કરવાં.'
દાદાશ્રી : એવું છે ને, ઓર્ડર કોનો મનાય ? કે જેના કષાય ખલાસ થઈ ગયા હોય તેનો ઓર્ડર મનાય. કષાયવાળાનો ઓર્ડર ના મનાય. કષાયવાળો પોતે જ ગુનેગાર છે, તો બીજાને ઓર્ડર કરી શકે કેવી રીતે ? ઓર્ડર તો, મહાવીર ભગવાનની મનાય અગર તો જ્ઞાની પુરુષનો મનાય. આ બે સિવાય કોઈનો ય ઓર્ડર ના મનાય. ત્યારે એ ઓર્ડર કરે નહીં ને ! જેનામાં પોતાનો ગુનો નથી અને પોતાના ગુનાને જે જાણે છે, તેનો ઓર્ડર મનાય.
અણસમજણમાં જોખમો !
પ્રશ્નકર્તા : પણ આ બીજા બધા ભગવાનના નામે ઓર્ડર કરે છે