________________
વાણીનો સિદ્ધાંત
૧૬૯
૧૬૮
વાણીનો સિદ્ધાંત પછી ફૂટયા વગર રહે કે દીવાસળી ચાંપવી પડે ? પ્રશ્નકર્તા : ફટાફટ ફૂટે.
રૂંધાણી પ્રગતિ, પ્રવચનોથી ! પ્રશ્નકર્તા : ઘણી વખત બોલવાને માટે એમ લાગ્યા કરે કે અવિનય થશે. માટે ઘણા લોકો તો પ્રશ્નો પણ પૂછતા નથી. આવું બને છે.
દાદાશ્રી : એ લોકોએ સાવી દીધું છે કે આમાં પૂછાય નહીં. પ્રશ્નકર્તા: પણ કેટલાક લોકોને પ્રશ્ન પૂછવાની હિંમત નથી હોતી.
દાદાશ્રી : પૂછવાનું શું ? પૂછે તો પેલા જવાબ જ ના આપે કોઈ. જવાબ ના આપે ને પાછા ચિઢાઈ જાય. એટલે લોક બંધ થઈ જાય કે ‘ભઈ આ તો ચિઢાઈ જશે.” ત્યારે સાંભળવા શું કામ જાવ છો ?
આ પ્રવચનકારો જો બંધ થઈ જાય તો હિન્દુસ્તાનને બહુ લાભ થઈ જાય. પ્રવચનકારોએ લોકોનું બહુ નુકસાન કર્યું છે.
પ્રશ્નકર્તા : એ તો બંધ થાય એવું છે નહીં.
દાદાશ્રી : એટલે પછી જે કોઈ ખટપટિયા નીકળ્યા ને, તે મહીં પેસી જાય છે. એ એના પાછા પાંચ-દશ માણસો પોતાના હોય છે, તે ‘હા, હા સાહેબ, તમે પધારો’ કહેશે, એટલે લોકોના કાન બહેરા કરે પાછાં.
પ્રશ્નકર્તા : કેટલાક તો પૈસા આપીને ય ભાષણ સાંભળે છે ને !
દાદાશ્રી : હા, પણ તેમાં લાભ કશો થતો નથી. પણ પ્રવચન સાંભળીને ઊઠતી વખતે ખંખેરીને ઠંડ્યા ઘેર !
જો માર્ગ જોઈતો હોય તો પ્રશ્નોત્તરીરૂપે હોય અને સંસારમાં રઝળપાટ કરવો હોય તો પછી આ ભાષણો કે વ્યાખ્યાનો બધાં ચાલ્યા જ કરે છે ને ! વ્યાખ્યાન સાંભળી અને નીચે ઉતરી શેઠિયાઓ પછી ખંખેરી નાખે અને આ પરિપ્રશ્નો નીકળે નહીં આ ! અને પેલું તો શેઠિયાઓને વ્યાખ્યાન આપે. મેં જોયેલું બધું. મેં કહ્યું, શેઠ, થોડુંક તો મહીં રહેવા દો !”
પણ ના, ખંખેરીને ઊભા થાય.
પ્રવયત તા આવડે ‘અમતે'! આ પ્રવચન નથી. દવા સાથેનું છે. લોક તો બોલીને જતા રહે. એનો આપણને શું લાભ થયો ? આપણે તો સવારમાં ઘેર હતા તેના તે. અહીં તમે માગો એ મળે. જે માંગવું હોય તે નક્કી કરીને લાવો.
લોકો મને પૂછે છે કે, ‘દાદા, તમે પ્રવચન કરતા નથી ?” મેં કહ્યું કે મને પ્રવચન નથી આવડતું. જ્યાં આવડતું હોય ત્યાં જાવ. પ્રવચન તો કોને માટે છે ? જેને વાંચતા ના આવડે અને સાર કાઢતાં ના આવડે,
ત્યાં એ પ્રવચન સાંભળવા માટે જાય. બાકી પ્રવચન એ ટાઈમ બગાડવા માટેનું છે. મારાથી પ્રવચન ના કરાય. કારણ કે હું બોલનાર નથી. આ ટેપરેકર્ડ નીકળે છે. એટલે તમે જે પ્રશ્નો નાખો કે તરત મહીંથી જવાબ નીકળશે. પ્રશ્નો પૂછવાથી બધા ખુલાસા થઈ જાય. ટેપરેકર્ડ એટલે શું ? પૂછયા વગર નીકળે નહીં અને પ્રવચન એટલે મહીં હોય એ નીકળ્યા કરે.
એટલે આ શબ્દો મારા પોતાના નથી. આ શબ્દો ટેપરેકર્ડના છે, આ ટેપરેકર્ડ વાગે છે. પ્રશ્ન પૂછનાર જોઈએ ! અહીં કોઈ પણ માણસ કહેશે કે તમે વ્યાખ્યાન આપો. તો અમારાથી વ્યાખ્યાન અપાય નહીં. તમે પૂછો તો જ જવાબ નીકળશે, નહીં તો જવાબ નહીં નીકળે. અમે પા કલાકે ય વ્યાખ્યાન નથી આપ્યું કોઈ દહાડો ય ! અને એવું હોય જ નહીં ને ! આ તો તમે પૂછો તેનો જવાબ મળી જાય !
પ્રશ્નોનો જવાબ આપવાનો મને શોખ નથી. પણ એવું છે ને કે તમે પ્રશ્નો પૂછો. આ કેવું જ્ઞાન છે ? આ છે તે મોંઢે બોલ બોલ કરવાનું આ જ્ઞાન ન હોય. પ્રવચન કરનારું આ જ્ઞાન ન હોય. પ્રવચન તો રેકં ય કરી શકે છે. પણ આ તમને જે સવાલોના જવાબો આપે એવું આ જ્ઞાન છે.
પ્રશ્ન પૂછવાતી, અહીં જ છૂટ ! બીજું કંઈ પૂછવું છે ? દરેક વસ્તુ પૂછજે. તારે જે પૂછવું હોય, આ વર્લ્ડનું, તે પૂછજે. હું તને સમજાવીશ. કારણ કે તો જ ખુલાસા થાય ને ?