________________
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
અહંકાર ઊભો થયો છે.
પ્રશ્નકર્તા : વાણીથી અહંકાર ઊભો થયો છે કે અહંકારથી વાણી નીકળે છે ?
દાદાશ્રી : મૂળ શરૂઆત વાણીથી અહંકાર ઊભો થયો છે. પછી એ અહંકાર નીકળ્યા કરે છે. એટલે કાર્ય-કારણ હોય પાછું મહીં.
વાણી બંધ થઈ જાય તો ખબર પડી જાય. વાણીની શરૂઆત પહેલા, અહંકારથી શરૂઆત થઈ અને વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ જાય. એ એનો તાળો.
પ્રશ્નકર્તા : એટલે વાણી બંધ થાય એટલે અહંકાર બંધ થઈ ગયો. પણ અહંકાર પહેલાં ખલાસ થયા પછી, એનું પરિણામ વાણી ખલાસ થાય છે ?
દાદાશ્રી : પછી મૌન જ હોય એને. ભગવાને ય કહે, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. એટલે અંદરથી બોલવાનું બંધ થયું ને બહારથી રહ્યું.
પ્રશ્નકર્તા : બહારથી બોલવાનું ખબર પડે એવું છે પણ અંદરથી બોલવાનું બંધ, એ કેવું હોય ?
દાદાશ્રી : અમે કહ્યું ને બધા ય જ્ઞાનીને હોય એવું. દેશના રૂપે કહે, ટેપરેકર્ડ. એ અંદર બંધ થઈ ગયું ને !
પ્રશ્નકર્તા અને પેલું વચલો માલિકીભાવ ઊડી ગયો. જે અંદરથી બોલવાન, તે અહંકાર ભાવ ઊડી ગયો.
દાદાશ્રી : આત્મસ્વરૂપ જ થઈ ગયો. અક્રિયતા આવી, રહ્યું જ નહીં ને હવે કાંઈ. કામમાં લાગે એવી વાત કર. આમાં શું ? આત્મઅજ્ઞાન ત્યાં વાણી.
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન ત્યાં મુનિપણું. દાદાશ્રી : આત્મઅજ્ઞાન એટલે અહંકાર, ત્યાં વાણી.
વાણીથી જગત ઊભું થયું છે ને વાણીથી જગત બંધ થઈ જાય છે. એ જ વાણી જગતને બંધ કરે છે. વાણીથી અહમ્ સ્મૃતિ, સ્વરૂપની વિસ્મૃતિ થઈ, ને એ જ વાણીથી અહમ્ની વિસ્મૃતિ ને સ્વરૂપની સ્મૃતિ થાય છે.
આ સમજાય છે ? તમને સમજ પડી આમાં ?
દાદાશ્રી : ના, વાણી નીકળવાથી અહંકાર શરૂ થાય છે અને વાણી નીકળવાની બંધ થઈ કે અહંકાર બંધ થયો.
પ્રશ્નકર્તા : એટલે વાણી નીકળે છે એ બધો અહંકાર નીકળે છે, એવું કહો છો ?
દાદાશ્રી : હા. એટલે પછી જ્ઞાનીને એમ કહેવું પડે કે આ ટેપરેકર્ડ છે. હવે મારી ઈચ્છા નથી છતાં નીકળે છે.
પ્રશ્નકર્તા: એમાં અહંકાર ના હોય ? વાણી માત્ર અહંકારનું સ્વરૂપ જ કીધું ને ! તો તીર્થંકરોની વાણી કેવી કહેવાય ? - દાદાશ્રી : પણ એને દેશના કહી, એટલે આજે અહંકાર નથી એમાં.
પ્રશ્નકર્તા : સમજ પડી.
પ્રશ્નકર્તા : આજે અહંકાર નથી, માટે દેશના ?
દાદાશ્રી : તો આ સમજવા જેવું છે. સમજે તો ઉકેલ આવે એવો છે. આ બધી વાત વૈજ્ઞાનિક છે.
અવસ્થા અહંકારતી એ ! પ્રશ્નકર્તા : વાણી એ અહંકારની અવસ્થા કહેવાય ? દાદાશ્રી : તો બીજું શું ? એટલે અહંકાર હોય કે ના ય પણ હોય.
દાદાશ્રી : આજનો અહંકાર નથી, આ પહેલાંનો કરેલો છે. પ્રશ્નકર્તા : તો આપણા જ્ઞાનનું પરિણામ મૌનપણું આવે ?