________________
વાણીનો સિદ્ધાંત
ડિગ્રી કહું છું ને, તે ‘હું’ ૩૫૬ ડિગ્રીમાં, તેને હોય આ બધું.
પ્રશ્નકર્તા : એ ૩૫૬ ડિગ્રીવાળું કોણ છે ?
દાદાશ્રી : એ જ આ જ્ઞાની પુરુષ છે ને ! પ્રશ્નકર્તા : તો એની આ વાણી છે ?
૧૨૩
દાદાશ્રી : ના, આ વાણી તો એની ય નહીં. એ તો માલિકીપણું માની બેઠા’તા. માલિકીપણું છોડી દીધું છે, છતાં ૩૫૬ ડિગ્રી છે. કારણ કે એમને જગત કલ્યાણ કરવાનો ભાવ છે.
પ્રશ્નકર્તા : એ ભાવના આધારે આ કલ્યાણ થાય એવી વાણી નીકળે છે ?
દાદાશ્રી : ના. માલિકીપણું છોડ્યું એટલે એવી વાણી નીકળે છે. કલ્યાણ કરવામાં વાંધો નથી. પણ માલિકીપણું છોડો ને તમારો ભાવ પૂરો થશે. એ તો ભગવાન મહાવીરને ય માલિકીપણું છૂટેલું, તે દેશના નીકળી પછી એની મેળે જ વાગ્યા કરે.
પ્રશ્નકર્તા : આપની જે વાણી નીકળે છે દેશના રૂપે, એ પહેલાંના કોઈ ભાવના આધારે હશે ?
દાદાશ્રી : પહેલાં પુરુષાર્થ કરેલો. પહેલાં ભાવના કરેલી કે વાણી આવી ભૂલવાળી ના હોવી જોઈએ, ભૂલ વગરની વાણી થવી જોઈએ. તે એનું ફળ આ હવે આવ્યું, એટલે અમે એનાથી મુક્ત થયા.
પ્રશ્નકર્તા : હવે હજુ એક-બે અવતાર રહ્યા આપના, તો આથી પણ ઊંચા કલ્યાણના નિમિત્ત થવાની માટે કંઈ નવી વાણી થતી હશે ને મહીં ?
દાદાશ્રી : આ છે તે જ નવી વાણી, આથી બીજી ઊંચી વાણી ના હોય. અમારે હઉ એ વાંચવી પડે.
પ્રશ્નકર્તા : આવતા ભવોમાં પણ આ ભાવનાં પરિણામ જ આવ્યા કરશે ?
દાદાશ્રી : હા. છેલ્લા અવતારોમાં સાયકલિંગ હોય. એટલે એક પછી
વાણીનો સિદ્ધાંત
એક એને સંયોગ બેસતો જ આવે. સાયકલ મળતી જ આવે. બ્રેક ડાઉન ના હોય. બધા ઊંચા સંજોગોનું મિલન થાય, છેલ્લા અવતારોમાં. નહીં તો પહેલાં તો નર્યું બ્રેક ડાઉન આવે. ઘડીકમાં ગાંડું આવે. ઘડીકમાં ડાહ્યું આવે. આ એક પછી એક સ્ટેશન જુદી જ જાતનાં આવે, સાયકલની પેઠ ! ભગવાત, કેવળ જ્ઞાત સ્વરૂપ !
૧૨૪
પ્રશ્નકર્તા : આપનાં જ્ઞાનવાક્યોમાં વિરોધાભાસ નથી. બધા નયની
ઉપર છે. લોકો બધા વ્યુપોઈન્ટથી જુએ છે અને આપનું આ વ્યુપોઈન્ટની ઉપરનું છે.
દાદાશ્રી : કેવળજ્ઞાન છે, બળ્યું ! ને વ્યુપોઈન્ટનું તો કેવળજ્ઞાન ના થયું હોય ત્યાં સુધી. અને કેવળજ્ઞાન થયું એટલે વ્યુપોઈન્ટ જ રહ્યો નહીંને, ૩૬૦ ડિગ્રી ! હું પોતે ૩૫૬ ડિગ્રીમાં છું, પણ આ જ્ઞાન ૩૬૦ ડિગ્રીનું છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?
દાદાશ્રી : આ ‘દાદા ભગવાન’ એ જ ૩૬૦ ડિગ્રી છે.
પ્રશ્નકર્તા : પણ ભગવાન જે બોલે, એ તો તમારી મારફત જ બોલે
ને ?
દાદાશ્રી : ના, ભગવાન બોલી શકે જ નહીં ને ! અને હું ય ના બોલી શકું.
પ્રશ્નકર્તા : તમે કહો છો કે દાદા ભગવાન ૩૬૦ ડિગ્રીના ને તમે ૩૫૬ ડિગ્રીના. એ તો અમે માનીએ, પણ ૩૫૬ ડિગ્રીની મારફત ૩૬૦ ડિગ્રીનું જ્ઞાન કેવી રીતે નીકળે ?
દાદાશ્રી : એ ૩૫૬ ડિગ્રી મારફત નથી નીકળતું. આ તો ઓરિજિનલ ટેપરેકર્ડ મારફત નીકળે છે. આ માલિકી વગરની વાણી છે. નથી આ ‘દાદા ભગવાન’ની વાણી અને આ ‘મારી’ય વાણી હોય. ‘દાદા ભગવાન'ની વાણી હોય તો ‘દાદા ભગવાન’ બારસો રૂપિયાના (!) થઈ