________________
વાણીનો સિદ્ધાંત
૧૪૯
તો તો મૂંગા પ્રાણીઓનો તિશે મોક્ષ ! પ્રશ્નકર્તા : આપણે વાત થઈ, એ મૌન અભિમુખ ક્યારે કરે મોક્ષમાર્ગ તરફ ?
દાદાશ્રી : મૌન કોઈ દહાડો મોક્ષમાર્ગે લઈ જાય નહીં. એ તો આ મનુષ્ય સિવાય ઈતર મૌન જ છે ને, એ બધા મોક્ષમાર્ગે જવાનાં છે ? એ તો ભાંભરડે. તો મોક્ષમાર્ગે જાય ?
પ્રશ્નકર્તા : એમ નહીં, ચેતન હોય અને છતાં ય જડની જેમ રહે તો ?
દાદાશ્રી : હા, આ છે તે ઝાડો-બાડો બધાં રહે છે ને ! ઝાડો એ જડની માફક જ રહે છે ને !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કોઈ બહારવટીયા જાય, કોઈ ગમે તે કરવા જાય, તો આઘાપાછાં થાય નહીં. આમ જડ જ છેને બિચારાં. અને આ પેલાં ઘઉં આપણે બાફવા હોય તો આપણે કહીએ કે ‘ઘઉંને બાફવાના છે.’ તો ય આઘાપાછાં ના થાય. એટલે ચેતન છે ને, જડ જેવાં વર્તે છે મૂઆ ! એ ઘઉંની પાંચશેરી બંધાય, પણ દેડકાની પાંચશેરી બંધાય ? આ આમથી આમ નાખીએ ત્યારે આમથી આમ કૂદી નીકળી જાય. પાંચશેરી બંધાય નહીં.
પ્રશ્નકર્તા : ઘઉંનો મોક્ષ થાય, એવું શાસ્ત્રમાં કહે છે ?
દાદાશ્રી : મોક્ષ શી રીતે થાય તે ? મોક્ષ તો ક્યારે થશે ? કે આ જે વાણી બોલાય છે ને, તે પોતાની વાણી પોતે જ્યારે સાંભળશે, ત્યારે મોક્ષ થશે !
૧૫૦
વાણીનો સિદ્ધાંત સ્લેટ ભરે છે, એને મૌન કહેવાતું નથી. સ્લેટમાં લખે કે “ચા લાવો’, એ બધું મૌન કહેવાતું નથી. સહજ આવી મળે તે જ પીવાનું, તેનું નામ મૌન કહેવાય. આ તો સ્લેટમાં લખે એવું જોયેલું કે નહીં તમે ?
પ્રશ્નકર્તા : હા, પાછા ફ્લેટમાં લખે ને !
દાદાશ્રી : અરે, સ્લેટમાં તો સારી રીતે લખે. નહીં તો ‘આમ, આમ ઇશારા પણ કરે.
ત્યાં ચેતવાળા ચાલે તા... પ્રશ્નકર્તા : મૌન માટેના નિયમો કયા અને તેનું આચરણ કેવું જોઈએ ?
દાદાશ્રી : મૌનમાં ઈશારો કશું કરાય નહીં કે સ્લેટમાં લખાય નહીં. આમ સંજ્ઞા ય ના થાય, આમ કે આમ, સંડાસ જવું હોય તો ‘આમ,આમ’ ના કરવું પડે. ત્યારે એ મૌન કહેવાય. સામો સામેથી પૂછવા આવે. આપણે કશું કરવું ના પડે. સામો પૂછવા આવે કે ‘સંડાસ જવું છે ?” ત્યારે એ જોડે જાય. એટલે કોઈ જાતનો ચેન નહીં, ચાળો નહીં, લખે નહીં, એનું નામ મૌન કહેવાય. આ સાધુઓ જેમ અભિગ્રહ કરે છે કે, જો કોઈ ચેનચાળાં દેખાડે છે ? એવું આ મૌન કહેવાય.
મૌન તો સહજ હોવું જોઈએ. મૌન તો અંતર સાથે હોવું જોઈએ. પણ આ તો કોઈ પણ સંકેત તો હોવાનો જ એની પાસે. નહીં તો કહી રાખ્યું હોય આગલે દહાડે કે ‘દસ વાગે મને ચા આપજો. અગિયાર વાગે આમ કરજો.’ પણ સંકેત હોય ત્યાં મૌન હોય જ નહીં. અગર તો મહીં સંકલ્પવિકલ્પ થયા જ કરે છે. તે ‘ચા લાવો, ફલાણું લાવો’ એવા મહીં વિચાર થયા જ કરતા હોય છે.
પ્રશ્નકર્તા : મહીં એવા વિચાર ન થાય અને સમજણથી મૌન રાખે તો ?
- દાદાશ્રી : એ ઊંચું કહેવાય. પણ એવું હોય નહીંને ! ક્યાંથી લાવે ? મૌનમાં કશું બોલાય નહીં. મન-વચન-કાયાની ચપળતા બિલકુલ હોવી
ન બોલાય, લખીતે મૌતમાં... પ્રશ્નકર્તા : આ મૌન લેવાનું કહે છે ને, તો એમાં બોલવાનું નહીં. તો એમાં જે આપણી ફિલિંગ્સ છે, એને દાબી દેવાની વાત છે.
દાદાશ્રી : આ લોકો મોઢું દબાવી દે છે અને લખી લખીને આખી