________________
૧૬૦
વાણીનો સિદ્ધાંત
૧૬૧ વ્યાખ્યાન કરું છું,’ એ વાત જુઠી છે.
આ વ્યાખ્યાન સાંભળે છે એ ચેતન છે ? વ્યાખ્યાન કરે છે તે ચેતન
તમે બોલો છો, વ્યાખ્યાન સાંભળો છો, બધું કરો છે, એ બધામાં ચેતન છે નહીં. વ્યાખ્યાન જે કરે છે, તેમાં ય ચેતન નથી. બોલો, ક્યાં સુધી મેં શોધખોળ કરી ? એમાં આખું ય ચેતન માની બેઠાં છે ! ‘હું જ છું અને એને સુધારે છે, એને સ્થિર કરે છે. અલ્યા, ચેતન જ ન્હોય આ તો ! આ તો પાવર ચેતન છે !!!
વાણીનો સિદ્ધાંત પ્રશ્નકર્તા : સ્વાધ્યાય કરવો એટલે શું કરવું, એ સમજાવો.
દાદાશ્રી : બીજાને માટે કંઈ પણ નહીં કરતાં, પોતાના એકલાને માટે જે કરવું, એ સ્વાધ્યાયમાં જાય. સ્વાધ્યાય એટલે શાસ્ત્રમાંથી એણે જે જાણવાનું જાણ્યું હતું, એને ફરી ફરી જાણવાનું.
હવે શાસ્ત્રકારોએ શું કહ્યું છે ? કે જો તને જ્ઞાન ના હોય, તમે જ્ઞાની ના હો, સમ્યક્ દર્શન તમને ઊભું ના થયું હોય અને તમે સાધુ છો, પણ મિથ્યાત્વી છો, ત્યાં સુધી તમે શાસ્ત્રનો ઉપદેશ આપી શકો નહીં. ત્યાં સુધી સ્વાધ્યાય કરો. એટલે અધ્યાત્મનું પુસ્તક આપણે વાંચીએ અને તે કો’કને ઉપદેશ આપવા માટે નહીં, પણ પોતાને જ માટે વાંચીએ. એ ક્રમિકમાર્ગમાં સ્વાધ્યાય કહેવાય. આવી રીતે તમે સ્વાધ્યાય કરી ને લોકો સાંભળવા આવતા હોય તેનો વાંધો નથી. એ ઉપદેશ માટે વાંચો કે ઉપદેશ દેવા જાવ તો તમને ગુનો છે, એવું કહેવા માગે છે.
તમે સ્વાધ્યાય કરો છો એટલે તમારા પોતાના માટે કરવું છે, પારકા માટે કરું છું, એ ભાન ન હોવું જોઈએ. સ્વાધ્યાય કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે કોઈએ ઉપદેશ આપવો નહીં જોઈએ. ઉપદેશ માટે નહીં, વ્યાખ્યાન માટે નહીં; સ્વાધ્યાય જ !
..બેઉ છે જડ.. આ બધા એને આધાર આપ્યા કરે છે કે ‘આ મેં વ્યાખ્યાન કર્યું હતું, કેટલું સુંદર કર્યું હતું ?” એ બધા આધાર આપે !
એને કહીએ, કે ફરી તું વાક્ય બોલી જા. તો એને એકુંય વાક્ય બોલતાં આવડે નહીં. એના “બાપના સમ’, જો બોલી શકે તો ! એ ભાષણ કરી રહ્યો હોય પછી એને આપણે કહીએ કે ‘ફરી બોલો જોઈએ.’ તો એ શું કહે ? ના આવડે. એના કરતાં સ્કુલના છોકરાં સારાં કે સાહેબ કહે કે એ ય ફરી બોલી જા તો, એ ફરી બોલી જાય. ગોખેલું હોય ને, છોકરાંઓએ તો ! એનો બધાને ગર્વરસ ઉત્પન્ન થાય કે હું કેવું સરસ બોલ્યો. પછી અવળું બોલે, ત્યારે ‘હું શું કરું ?” કહેશે. એવું ના હોવું જોઈએ. આ વ્યાખ્યાન આપે છે તે કોણ આપે છે ? આત્મા આપે છે ? આત્મામાં વાણી નામનો ગુણ જ નથી. તો તું કેવી રીતે બોલે ? માટે ‘હું
આખ્યાત શું ? વ્યાખ્યાત શું ? પ્રશ્નકર્તા : આખ્યાન અને વ્યાખ્યાનનો અર્થ શું ?
દાદાશ્રી : આ બધા જે બે-ચાર માણસોની જોડે વાતો કરે, એ આખ્યાન કહેવાય અને આખા ટોળામાં બોલે, એ વ્યાખ્યાન કહેવાય. વ્યાખ્યાનમાં તો સાંભળનારો ય જુદો ને બોલનારો ય જુદો. એ વ્યાખ્યાન કહેવાય. એને આખ્યાન ના કહેવાય. મોક્ષમાર્ગમાં આખ્યાન જ નથી, તો વ્યાખ્યાન ક્યાંથી આવે ?
એ ય મનોરંજન ! વ્યાખ્યાનમાં બોલે એ ઉપદેશ કહેવાય. એમાં બધાને અનુસરીને બોલે. આ વ્યાખ્યાન સાંભળવા જાય ને, તે મન કબૂલ કરે છે. એટલે મનોરંજન થાય. તે ઘડીએ ઈમોશનલ થઈ જાય, અને પછી ઊતરે ત્યારે પાછો આમ આમ ખંખેરી નાખે. હું પૂછું કે “કેમ શેઠ ખંખેરી નાખ્યું ?” ત્યારે એ કહે, ‘નાનથી ખંખેરી નાખ્યું.’ પણ એ ખંખેરી નાખે છે. અલ્યા, રહેવા દો ને ! પણ મનોરંજન કેટલા દહાડા રહે ?! આ વ્યાખ્યાન સાંભળવાં એ ઊર્ધ્વગતિનું મનોરંજન છે અને સિનેમા એ અધોગતિનું મનોરંજન છે. બેઉ મનોરંજન છે.
એ રિવાજ જ ખોટો ! એટલે આ વ્યાખ્યાનો-ભાષણો બધું શું છે ? મહા મહિનામાં માવઠાં