________________
વાણીનો સિદ્ધાંત
૧૩૧
૧૩૨
વાણીનો સિદ્ધાંત
તો અમારે બોલાય એવું ન હતું. અવાજ નીકળતો ન હતો. અત્યારે રોફભેર નીકળે છે પાછો. ટેપરેકર્ડ આમ પીન ઘસાઈ ગઈ હોય એવી બોલતી હતી. અત્યારે પીન નવી નાખી હોય એવું મને લાગે છે.
પીન બહુ વપરાઈ જાય. આ તો ટેપરેકર્ડ બોલે છે એટલે શક્તિ નથી વપરાતી. બે કલાકથી માણસ વધારે બોલી શકે નહિ. સાડા અગિયાર સુધી બોલું છું. ટેપરેકર્ડ છે એટલે !
હણાય શક્તિ, શબ્દોથી !
વગતો લાંગરે, કાયમતાં ! પ્રશ્નકર્તા : અમારે ત્યાં બધા વાત કરતા હતા કે દાદા ભગવાન દેખાય તો બરાબર આવા (સુકલકડી), પણ જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે એમનો અવાજ તો જાણે એટલો મોટો સિંહગર્જના જેવો લાગ્યો, એવું એવું કહેતા હતા બધા.
દાદાશ્રી : એવો અવાજ જ ના હોય ને, માણસનામાં ! હું આમ બોલું નહીં ત્યાં સુધી અમારું વચનબળ કામ કરે નહીં ને ! ત્યાં સુધી એને ખ્યાલ રહે નહીં અને આ તો મહીં શબ્દ પેસી ગયો, તે પછી નીકળે નહીં. હું જ્યારે બોલાવું છું, તે પોતે જ મહીં ખસી જાય છે. એટલે આ બોલવામાં શક્તિ બધી બહુ વપરાઈ જાય છે.
હું જ્ઞાન બોલાવું છું ત્યારે બધાને કલાક બોલવાનું હોય છે. તે વખતે નહીં મોટા મોટા મજબૂત માણસો હોય, તે ય છેલ્લા છેલ્લા વાક્યોમાં તો થાકી જાય, તે પછી વાક્ય મનમાં બોલે, મોટેથી બોલાય નહીં. કારણ કે એ પોતે બોલે છે. એટલે થાકી જાય બિચારો અને મારે ૭૯ વર્ષે, જુઓને. મોટી જબરજસ્ત ટેપરેકર્ડ વાગે ! એ વાગે છે ને ! કારણ કે માલિકી વગરની વાણી છે. એટલે થાક લાગવાનો નહીં એટલે મશીનરી ઑર રહે, સરસ રહે.
આ ત ઘસાય એવી પીતા
આ બોલ બોલ કરો તો માણસની શક્તિ ઘટી જાય. મૌન લો તો જરા શક્તિ સારી રહે. બોલવાથી શક્તિ વેડફાય અને મૌનથી શક્તિ જળવાય.
વધારેમાં વધારે શક્તિ વપરાતી હોય તો આ દેહમાં વપરાતી નથી. વાણીમાં બહુ વપરાઈ જાય છે. જે આ બધો આપણે ખોરાક લઈએ છીએ ને, એનું સરવૈયું શું આવે છે ? વીર્ય બને છે એ ખોરાકનો સાર કહેવાય છે. તે ય સાર શામાં વપરાય ? એ વધારેમાં વધારે વાણીમાં વપરાય. તેથી વાણી જો ઓછી વપરાય તો સારું. નહીં તો પરહિત માટે વપરાતી હોય તો સારી. અને નહીં તો કેવળ આત્મા માટે જ વાણી બોલવામાં આવે, તેમાં શક્તિ બહુ વપરાય જ નહીં ને !
સો સુશબ્દ બોલે ને એક કુશબ્દ બોલે, તેમાં આત્માની બહુ શક્તિ વપરાઈ જાય. સો સારા શબ્દો બોલે, એમાં ય શક્તિ તો વપરાઈ જાય અને ખરાબમાં, એક જ શબ્દમાં બહુ શક્તિ વપરાઈ જાય. તું ખરાબ બોલું ખરો ને કે ના બોલું ? તે તારી શક્તિ વપરાઈ જાય.
સુશબ્દમાં ય શક્તિ વપરાઈ જાય. જેટલા શબ્દ બોલેને, એ શક્તિ વપરાઈ જાય. એક ફક્ત આત્માના હેતુ માટે બોલેને, એને ભગવાને મૌન કહ્યું. આખો દહાડો બોલે તો ય શક્તિ વપરાય નહીં અને હું ય સંસાર હેતુ માટે બોલું તે, તો એ મૌન ના કહેવાય. એ શક્તિ વપરાઈ જાય.
પ્રશ્નકર્તા: પણ દાદા, તમે પછી એ શક્તિ તરત મેળવી લોને ?
પ્રશ્નકર્તા : હવે, મને એ સમજ પાડો કે આ ઉંમરે, બે કલાક આપ સતત બોલો છો, આ ઉંમરે આટલું ફરો છો, તે આ શક્તિ કઈ છે ? એ મારે જાણવું છે.
દાદાશ્રી : એવું છે, રાજાને શક્તિ ના હોય તો ચાલે. લશ્કરનાં માણસોને શક્તિ જોઈએ. રાજા તો ‘ઓર્ડર’ કરે કે ‘ભઈ, તમે હવે ફલાણા જોડે લઢો.' બસ, એટલું બોલ્યો ને એટલે પેલા લોકો પોતાની શક્તિથી લઢે. પણ એ ‘બાય ઓર્ડર ઓફ ધી રાજા' હોય. એટલે ‘બાય ઓર્ડર’ બધું થાય છે. ભગવાનથી કશું બને નહીં !
આ સત્સંગ એકુંય દહાડો બંધ નથી રહ્યો. કારણ કે બોલ્યા હોત