________________
વાણીનો સિદ્ધાંત
૧૧૫
૧૧૬
વાણીનો સિદ્ધાંત
પ્રથમ દર્શન, પછી ટેપિંગ ! પ્રશ્નકર્તા : પણ જે આપની ટેપ નીકળે, તે ઘડીએ આપને જે અંદર દર્શન ખૂલી ગયું છે, તો એ ટેપમાં એક્કેક્ટ નીકળવા માટે, એ દર્શન કંઈ કામ કરતું હશે ?
દાદાશ્રી : આ તો એ દર્શનના આધારે ટેપ થાય. એટલે દર્શન પહેલું ને ટેપ પછી. નહીં તો ટેપ જ જ્ઞાની કહેવાય. તો તો મારે ટેપ પાસેથી સાંભળવાનું રહ્યું.(!)
પ્રશ્નકર્તા : આ તો સહજ જ નીકળે ને ? દાદાશ્રી : સહજ, સહજ. પ્રશ્નકર્તા : સહજ જ નીકળે ? એમાં કંઈ કરવું પડે નહીં ?
દાદાશ્રી : એનું નામ ટેપ ને ! એને હું જાતે જોઈને બોલું છું. વાંચેલું નથી બોલતો. જાતે આ આંખે નથી જોતો પણ જે દર્શન મહીં ઊભું થયું છે, તેના આધારે બોલું છું.
અમને યાદગીરી નહીં ! આ ટેપરેકર્ડ સહેજે નીકળે. આમાં કશો પ્રયત્ન નહીં, પ્રયાસે ય નહીં. યાદગીરી તો મને છે જ નહીં. કોઈ આટલી ય યાદગીરી મને નથી. આજે શું વાર થયો છે, તે મારે પૂછવું પડે. તારીખ શું થઈ, એ પૂછવી પડે. એ યાદગીરી નથી તેથી ને ! આજે તારીખ પૂછી હોય, તે પાછું કાલે તારીખ પૂછું. ત્યારે કાલની તારીખ યાદ નથી ? ત્યારે કહે, નથી યાદ. એનું કારણ શું ? યાદગીરી નથી.
યાદગીરી એ ગાંડપણ છે કે ડહાપણ છે ?
પછી એનો જ્ઞાનમાં જવાબ એ આવ્યો કે યાદગીરી એ શેનું પરિણામ છે ? મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ (યાદગીરી એ રાગવૈષનું પરિણામ છે), જેને રાગ-દ્વેષ ના હોય એને મેમરી (યાદગીરી) ના હોય. જેને શાસ્ત્ર પર રાગ હોય તો શાસ્ત્ર બધું મોંઢે. આ ટેપરેકર્ડ હમણાં
શું બોલી ?
પ્રશ્નકર્તા : મેમરી ઈઝ ધ રીઝલ્ટ ઓફ રાગ-દ્વેષ. દાદાશ્રી : અમને મેમરી જ નહીં ને બિલકુલ !
ચાલ્મીરી તહીં, વીઝનમાં દેખીતે ! અમને તો કહે છે કે તમને શી રીતે પછી આ ખબર પડે છે બધી? તો અમને દેખાય. તમે કહો કે તે દહાડે આપણે જાત્રામાં ગયા હતા ને આવું થયું હતું, તે બરોબર કે નહીં ? ત્યારે હું કહું કે બરોબર છે. પણ અમે દેખાયેલું કહીએ અને તમે યાદગીરીમાં કહો. બોલતાંની સાથે દેખાય આમ, એક્ઝક્ટનેસ “જેમ છે તેમ' દેખાય.
પ્રશ્નકર્તા: દર્શનમાં આવે બધું ? દાદાશ્રી : દેખાય. દર્શનમાં નહીં. આમ એક્કેક્ટ દેખાય. પ્રશ્નકર્તા : દર્શનમાં એ દેખાય શેનાથી ? ચિત્તથી ?
દાદાશ્રી : ચોખ્ખું કલીયર થયેલું દેખાય. આખું ય ટ્રાન્સપરન્ટ (પારદર્શક) છે. આખું બિલકુલ યૉર.
પ્રશ્નકર્તા : એમાં ઉપયોગ મૂકવો પડે ?
દાદાશ્રી : સહજ જ દેખાય. ઉપયોગ મૂકનારો કોણ ? એ ઉપયોગ મૂકનાર જુદો હોય.
પ્રશ્નકર્તા : એક વાત આપની એવી નીકળી હતી કે અમારે દર્શન ઊભું થાય છે ને પછી આ રેકર્ડ નીકળે છે. જ્યારે આ મશીનને દર્શન હોતું નથી. નહીં તો પછી આમાં ને આમાં ફેર નથી. - દાદાશ્રી : એ તો સંજોગોના હિસાબે દર્શન શબ્દ કહ્યો હશે. પેલું જે દર્શન તમે કહેવા માગો છો ને એ દર્શન ને આ દર્શનમાં બહુ ફેર હોય. એવું બોલે નહીં ને બોલે તો અમુક દર્શન એટલે દેખાય છે અમને આવું, એવા સેન્સમાં કહું છું.