________________
શ્રી તીર્થંકર વંદનાવલિ
શ્રી તીર્થંકર વંઠનાવલિ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત ‘સકલાર્હસ્તોત્ર' નો ગૂર્જર ભાવાનુવાદ : ભાવાનુવાદકર્તા :
પૂ. મુનિ શ્રી રાજરત્નવિજયજી મા. (હરિગીત)
સકલાહતોમાં જે મહાજ્યોતિ સ્વરૂપે ઝળહળે, જેના પ્રભાવે મુક્તિપદની સંપદા આવી મળે; ત્રણ ભુવનમાંહિ જેહનું સામ્રાજ્ય સુંદર વિસ્તરે, અમ હૃદય તે આર્હન્ત્યપદનું ધ્યાન શુભ ભાવે ધરે.
સવિ ક્ષેત્રમાં સવિ કૉલમાં નિજ નામથી આકારથી, વળી દ્રવ્યથી ને ભાવથી જે ધર્મરથના સારથિ; ત્રણ લોકના સવિ જીવને પ્રભુતા ધરી પાવન કરે, અમ હૃદય તે અરિહંતની શુભ ભાવથી સેવા કરે.
આ કાળના જે પ્રથમ નરપતિ ભૂમિતલ શોભાવતા, આ કાળના જે પ્રથમ મુનિવર ધર્મપથ અપનાવતા; આ કાળના જે પ્રથમ તીર્થંકર જગતને સુખકરૂં, તે નાભિનંદન ઋષભજિનની ભાવથી સ્તવના કરૂં.
આકાશ ભૂષણ સૂર્યના ઉદયે કમલવન ખીલતું, તિમ જેમની 'વાણી-પ્રભાથી વિશ્વ આખું` વિકસતું; અમ્લાન કેવલનાણ - દર્પણમાં જગતને પેખતા, અરિહંત તે શ્રી અજિતજિનને સ્તવું શીશ નમાવતા.
૧
ર
૩
૪
૫૩૭
6.
ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો.