________________
૮૦૪
રત્નત્રયી ઉપાસના
(હિ) વિદળ એટલે શું અને તેમાં શું ન ખવાય? જૈન ધર્મમાં કંદમૂળ ભક્ષણ અને રાત્રિભોજન જેમ બહુ પાપનું કારણ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે તે જ રીતે કોઈપણ જાતના કઠોળ (મગ મઠ-અડદ-વાલચણા વગેરે) સાથે કાચા (એટલે ગરમ કર્યા વગરના) દૂધ-દહીં કે છાશ ન ખવાય અને તે કઠોળની બનાવેલી વાનગીઓ પણ કાચા દૂધ-દહિં-છાશમાં ન ખવાય. કારણ કે કઠોળ સાથે કાચા દૂધ-દહિં-છાશનો સંયોગ થતાં જ જીવોત્પત્તિ થાય છે અને તેથી તે રીતે ખાનાર પાપનો ભાગીદાર બને છે અને આરોગ્યની દષ્ટિએ પણ આવો ખોરાક શરીરને નુકશાન કરનાર બને છે. જેને ભાંગવાથી સરખા ફાડચાં થાય અને જેને પીલવા છતાં તેલ નથી નીકળતું તેને વિદળ (કઠોળ) કહેવાય છે. ભાવિકે આ વિવેક ખાસ જાળવવો.
團號 જૈન શાસનના ઉગ્ર તપસ્વીઓ ૧. ભગવાન આદિનાથ ૧૩ મહિનાને ૧૦ દિવસ ઉપવાસ ૨. બાહુબલી
૧૨ મહિના ચૌવિહાર ઉપવાસ ૩. સુંદરી
૬૦,૦૦૦ વર્ષ આયંબિલ ૪. ગૌતમ સ્વામી ૩૦ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠા ૫. ધન્ના શાલીભદ્ર ૧રા વર્ષ માસક્ષમણ ૬. ધન્નાકાકંદી *
જીવન પર્યત છઠ્ઠના પારણે આયંબિલ ૭. જંબુસ્વામી
૧રા વર્ષ છઠ્ઠના પારણે આયંબિલ ૮. નંદિષેણ . પ૪,૦૦૦ વર્ષ છઠ્ઠ (વૈયાવચ્ચ) ૯. વીરાચાર્ય
જીવનપર્યત અઠ્ઠાઈ, છ વિગઈ ત્યાગ ૧૦. જગતચંદ્રાચાર્ય ૧રા વર્ષ આયંબિલ ૧૧. સિદ્ધસેન દિવાકરસૂરિ ૮ વર્ષ સુધી ઘોર તપ ૧૨. ચંપા શ્રાવિકા ૬ મહિનાના ઉપવાસ ૧૩. વિષ્ણુમુનિ
૬ હજાર વર્ષ ઘોર વીર તપ ૧૪. નંદન મુનિ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણ
圖 %
સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી.