________________
१८०
રત્નત્રયી ઉપાસના
શ્રી નિર્મલગિરિ ટુંક ઉપરથી જેઠ વદ-૭ ના ૬ હજાર મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી વિમલનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ ક્રોડ, ૭૬ લાખ ૬ હજાર ૭૪૨ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“નમો જિણાણું – નમો સિદ્ધાણં''
આ ટુંકની યાત્રા કરવાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી વિમલનાથ ભગવાન કી જય.... (૨૯) શ્રી સિદ્ધવર ટુંક ઃ
અવસર્પિણી કાલના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન અર્હત્તમજિત વિશ્વ-કમલાકર ભાસ્કરમ્ । અમ્લાન કેવલાદર્શ સંક્રાન્ત જગતં સ્તુવે ॥
શ્રી સિદ્ધવર ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ ના દિવસે ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અજિતનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ અબજ ૮૦ ક્રોડ, ૮૪ લાખ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. “નમો જિણાણું – નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પોષધોપવાસનો લાભ મળે છે. બોલોશ્રી અજિતનાથ ભગવાન કી જય....
(૩૦) શ્રી નેમનાથ ટુંક :
અવસર્પિણીકાલના બાવીશમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન યદુવંશ સમુદ્રન્દઃ, કર્મકક્ષ હુતાશનઃ । અરિષ્ટનેમિર્ભગવાન્ ભૂયાહોડરિષ્ટ-નાશનઃ ॥ શ્રી ગિરનાર તીર્થ ઉપર અષાઢ સુદ-૮ના દિવસે પર૬ મુનિવરો
તારી સંપત્તિ તારી સાથે જ નાશ પામશે.