________________
પામે તેમાં તો શું કહેવું ? (સજ્જનો જેને સ્વીકારે છે તે વસ્તુ સારરહિત હોય તો પણ સજ્જનોના આશ્રયથી જ શોભે છે. આથી મારી આ રચના અસાર હોવા છતાં સત્પુરુષોના સ્વીકારથી શોભા પામશે.) (૧૦)
अन्यदपि सज्जनचेष्टितं दृष्टान्तान्तरयुतमाह—
बालस्य यथा वचनं, काहलमपि शोभते पितृसकाशे । तद्वत् सज्जनमध्ये, प्रलपितमपि सिद्धिमुपयाति ॥ ११ ॥ बालस्य-शिशोर्यथा वचनं - जल्पितम्, काहलमपि - अव्यक्ताक्षरमपि शोभतेराजते पितृसकाशे-मातापित्रोरग्रत इति दृष्टान्तः, दार्ष्यन्तिकमाह-तद्वत्-तथा सज्जनमध्ये प्रलपितमपि-अनर्थकं वचनमपि सिद्धिमुपयाति ख्यातिमुपैतीत्यर्थः
॥ ११ ॥
અન્ય દષ્ટાંતથી યુક્ત બીજા પણ સજ્જનના આચરણને કહે છે— ગાથાર્થ– જેવી રીતે બાળકનું અવ્યક્ત અક્ષરવાળું (=કાલું-ઘેલું) પણ વચન માતા-પિતાની પાસે શોભે છે, તેવી રીતે સજ્જનોની મધ્યમાં નિરર્થક પણ વચન પ્રસિદ્ધિને પામે છે. (૧૧)
ननु पूर्वकविकृता अपि शमजननशास्त्रपद्धतयः सन्ति तत् पुनः किमनयेत्याशङ्कयाह—
ये तीर्थकृत्प्रणीता, भावास्तदनन्तरैश्च परिकथिताः ।
तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरमेव ॥ १२ ॥
ये तीर्थकृत्प्रणीता भावा-जीवादयस्तदनन्तरैश्च-गणधरादिभिः परिकथिताःप्रकीर्तिताः तेषां बहुशोऽप्यनुकीर्तनं भवति पुष्टिकरम् । एवं अनेकधाऽपि संशब्दनं भवति-जायते पुष्टिकरमेवेत्यार्यार्थः ॥ १२ ॥
પ્રશમને ઉત્પન્ન કરનારી શાસ્ત્રશ્રેણિઓ પૂર્વના કવિઓએ પણ કરેલી છે, તો પછી આ પ્રશમરતિ ગ્રંથની રચનાની શી જરૂર છે એવી આશંકા કરીને કહે છે—
१. पितृसकाशे से स्थणे माता च पिता चेति पितरौ से प्रमाणे रोडशेष द्वन्द्व समास छे.
પ્રશમરતિ ૦ ૧૩