________________
(સૂ॰=) વિનયયુક્ત જીવ ગુરુમુખથી સાંભળવાની ઇચ્છા રાખે છે. (ડિ૰=) ફરી પૂછે છે, અર્થાત્ પૂછીને શ્રુતને શંકારહિત કરે છે. (મુ॰=) ગુરુએ ફરી જે કહ્યું હોય તેને સાંભળે છે. (fro=) સાંભળીને ગ્રહણ કરે છે–સમજે છે. (૰=) ગ્રહણ કર્યા પછી ‘આ આ પ્રમાણે છે કે બીજી રીતે છે' એમ બરોબર વિચારે છે. (૪૦=) પછી આચાર્યે જે કહ્યું છે તે એ પ્રમાણે જ છે એમ નિર્ણય કરે છે. (ધા૰=) પછી તેને ધારે છે=યાદ રાખે છે. (૰=) શાસ્ત્રોક્તનું આચરણ કરે છે.
પ્રશ્ન– આચરણને શ્રુત કેમ કહેવાય ?
ઉત્તર– શાસ્ત્રોક્તનું આચરણ પણ શ્રુતપ્રાપ્તિનું કારણ થાય જ છે. કારણ કે શાસ્ત્રોક્ત આચરણ શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ આદિનું કારણ છે. (આવશ્યક નિર્યુક્તિ ગાથા ૨૨)
-
વિધિ એટલે કારણ. બુન્ચંગોનાં કારણો. (વિવિધ ક્ષયોપશમ બુદ્ધચંગોનું કારણ છે.) બુદ્ધચંગોના જે કારણો એ કારણોના જે વિકલ્પો=ભેદો તે બુદ્ધયંગવિધિવકલ્પો. આ બુદ્ધચંગવિધિવિકલ્પો અનંત પર્યાયવૃદ્ધ હોય છે. (અર્થાત્ ક્ષયોપશમના ભેદો અનંતપર્યાયવૃદ્ધ હોય છે. એકનો જેટલો ક્ષયોપશમ હોય તેનાથી બીજામાં અનંતગણો અધિક ક્ષયોપશમ હોઇ શકે છે.)
પૂર્વપુરુષો=ગૌતમ સ્વામી વગેરે પૂર્વપુરુષોને શૌર્યના કા૨ણે સિંહની ઉપમા આપી છે. કારણ કે પૂર્વપુરુષો શૌર્યથી પરિષહ-કષાયાદિ રૂપ હરણોને હણનારા છે.
અવબોધપ્રકર્ષને વિશાળતાની અપેક્ષાએ સાગરની ઉપમા આપવામાં આવી છે. અવબોધપ્રકર્ષ વિશાળ છે.
અથવા વિજ્ઞાનતિશયસાવરાનન્ત્યમ્ પદનો અર્થ આ પ્રમાણે છે—
વિજ્ઞાન હોતે છતે વૈક્રિયલબ્ધિ, તેજોનિસર્ગલબ્ધિ, આકાશગમનલબ્ધિ અને સંભિન્નશ્રોત્રલબ્ધિ વગેરે જે અતિશયો, તે અતિશયો જ સાગર છે. અતિશયરૂપ સાગરનું અનંતપણું. પૂર્વ પુરુષસિંહોમાં વિજ્ઞાન હતું અને સાથે સાથે અતિશય રૂપ સાગરનું અનંતપણું પણ હતું. (૯૧-૯૨) પ્રશમરતિ ૦ ૭૧