________________
જયારે ક્રમશઃ સ્વરૂપે અને પરરૂપે તથા એકી સાથે સ્વ-પર ઉભય રૂપે વિવક્ષા કરવામાં આવે ત્યારે સ્થાતિ ચન્નતિ ચાવવ્ય (સ્વરૂપે છે, પરરૂપે નથી; એકી સાથે સ્વ-પર ઉભયરૂપે અવક્તવ્ય છે.) આ પ્રમાણે સાતમો વિકલ્પ બને છે.
આ પ્રમાણે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ છતાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ સિદ્ધ થતાં નિત્યત્વ-અનિત્યત્વ, એકત્વ-અનેકત્વ વગેરે ધર્મયુગ્મને આશ્રયીને વિધિ અને પ્રતિષેધથી સાત સાત વિકલ્પો (ભંગો) થાય છે. આ સાત ભંગોને સપ્તભંગી કહેવામાં આવે છે.
જે વસ્તુ ઉત્પાદ-વિગમ-નિત્યત્વથી યુક્ત હોય તે બધીય વસ્તુ સત્ છે. જેમ કે આંગળી. જ્યારે આંગળીને વાંકી કરવામાં આવે ત્યારે આંગળી મૂર્ત વસ્તુ તરીકે નિત્ય છેઃરહેલી છે, સરળતા રૂપે નાશ પામી અને વક્રતા રૂપે ઉત્પન્ન થઈ. આ પ્રમાણે જે વસ્તુ ઉત્પાદ આદિ ત્રણથી યુક્ત હોય તે બધી જ વસ્તુ સત્ છે. જે વસ્તુ ન હોય તે વસ્તુ ઉત્પાદાદિ ત્રણથી યુક્ત પણ ન હોય. જેમ કે ગધેડાના શીંગડા. ગધેડાના શીંગડા નથી તો તેમાં ઉત્પાદાદિ ત્રણ પણ નથી. આનાથી (ગાથાના પૂર્વાર્ધમાં) સપ્તભંગીના (૧) યાતિ અને (૨) ચન્નતિ એ બે વિકલ્પો સૂચવ્યા છે. સત્ વા મવતિ એ શબ્દોથી (૩) ચતિ જ્ઞાતિ એ ત્રીજો વિકલ્પ બતાવવામાં આવ્યો છે. અન્યથાર્થતાડપતવિશેષાત્ એ પદોથી. બાકીના ચાર વિકલ્પોનું સૂચન કર્યું છે. તે આ પ્રમાણે- (૪) ચાવવવ્ય: (૫) રાતિ વ્યવ્યશ (૬) જ્ઞાતિ મવશ (૭) સ્થાતિ ચીત્રપ્તિ વોચશ.
તેમાં પહેલા બે વિકલ્પોના અર્થની ભાવના કરેલી જ છે. ત્રીજો વિકલ્પ યાતિ ચાન્નતિ એવો છે. તેની ભાવના આ પ્રમાણે છે– ઘટાદિ કોઈ એક દ્રવ્યનો ગ્રીવા (કડોક જેવો ભાગ) વગેરે અમુક ભાગ સદૂભાવ પર્યાયથી વિવક્ષિત છે. આથી ઘટ ગ્રીવાદિ રૂપે છે અને વૃત્તબુધ્ધ ( ગોળ તળિયા) રૂપે નથી, અથવા પટ વગેરે જે અન્ય વસ્તુઓ તે અન્ય વસ્તુઓના પર્યાયરૂપે નથી.
હવે ચોથો વિકલ્પ યાત્વવ્ય: એવો છે. (તેના અર્થની ભાવના આ પ્રમાણે છે–) સંપૂર્ણ અખંડિત ઘટાદિ વસ્તુ અન્ય પ્રયોજનવાળા
પ્રશમરતિ - ૧૭૦