________________
पाठान्तरे तपउपधानमिति । किं ? निर्जरा प्राक्तनकर्मशाटः, तत्र तपोऽनशनादि, उपधानं तु योगोद्वहनं । कर्मणो नवस्य सन्ततिः स बन्ध उच्यते । तथा बन्धवियोगो मोक्षः । तु पुनरर्थः । इति संक्षेपानव पदार्था इति ॥ २२१ ।। નિર્જરા, બંધ અને મોક્ષ એ ત્રણ તત્ત્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
ગાથાર્થ– સંવરયુક્ત આત્માને તપ અને ઉપધાનથી નિર્જરા ( પૂર્વે બંધાયેલાં કર્મોનો નાશ) થાય. કર્મોનો પ્રવાહ એ બંધ છે. બંધનો વિયોગ મોક્ષ છે. આ પ્રમાણે સંક્ષેપથી નવ પદાર્થો છે.
વિવેચન- નવાં કર્મોનો પ્રવાહ એ બંધ છે, અર્થાત્ પૂર્વ પૂર્વ કર્મના કારણે નવાં નવાં કર્મોનો આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધ એ બંધ છે. અજ્ઞાન જીવોને પૂર્વ પૂર્વ કર્મનો ઉદય નવાં નવાં કર્મોનો બંધ કરાવે છે. આથી કર્મબંધનો પ્રવાહ ચાલ્યા કરે છે. કર્મબંધનો આ પ્રવાહ જ મુખ્યબંધ હોવાથી પ્રસ્તુત ગાથામાં કર્મપ્રવાહને બંધ કહ્યો છે. કર્મબંધનો અભાવ થતાં અવશ્ય સઘળાં કર્મોનો ક્ષય થાય છે. આથી અહીં બંધના વિયોગને મોક્ષ કહ્યો છે. (૨૨૧).
एतेष्वध्यवसायो, योऽर्थेषु विनिश्चयेन तत्त्वमिति । सम्यग्दर्शनमेतत्तु, तन्निसर्गादधिगमाद्वा ॥ २२२ ॥ एतेषु-जीवादिष्वर्थेषु योऽध्यवसायः-परिणामो विनिश्चयेन-परमार्थेन तत्त्वमिति-सत्यं तथ्यं सद्भूतमित्यर्थः । एतत् सम्यग्दर्शनं-सम्यक्त्वमभिधीयते । एतच्च निसर्गाद्वा लभ्यते अधिगमाद्वेति ॥ २२२ ॥
ગાથાર્થ– આ જીવાદિ નવ પદાર્થોમાં “પરમાર્થથી આ જ પદાર્થો સત્ય છે' એવો જે ભાવ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એ બે રીતે મેળવાય છે. (૨૨૨)
एतयोरेव व्यत्ययेन पर्यायानाहशिक्षाऽऽगमोपदेशश्रवणान्येकाथिकान्यधिगमस्य । एकार्थे परिणामो, भवति निसर्गः स्वभावश्च ॥ २२३ ॥ शिक्षा-जिनधर्माभ्यासः आगमः-पाठः उपदेशः-आप्तवचनं श्रवणं-आकर्णनं,
પ્રશમરતિ - ૧૯૦