________________
ततो बादरे काययोगे निरुद्धे सति काययोगोपगतस्ततः सूक्ष्मक्रियया काययोगवर्ती केवली सूक्ष्ममनोयोगं सूक्ष्मवाग्योगं (ग्रंथ १६००) निरुन्धन् अन्तर्मुहूर्तद्वयेन सूक्ष्मकाययोगं प्रतिसमयं निरुन्धन्, न चाद्यापि तस्य सर्वथा निरोधोऽजनि। एवंविधकाले सूक्ष्मक्रियमप्रतिपाति ध्यानं ध्यायति । ध्यात्वा ततः सूक्ष्मकाययोगेऽपि निरुद्धे सति सर्वथा विगतक्रियं-अपगतक्रियमनिवर्तिनिवृत्तिरहितं पुनरनुत्तरं ध्यायति परेण - उपरीति ॥ २८० ॥
ગાથાર્થ— સૂક્ષ્મકાયનો નિરોધ કરવાની ક્રિયાને કરતો જીવ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી નામના શુક્લધ્યાનના ત્રીજા ભેદ ઉપર આરૂઢ થાય છે. ત્યારબાદ તે વ્યુપરતક્રિયાઅનિવૃત્તિ નામનું ચોથું ધ્યાન કરે છે.
ભાવાર્થ– સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શબ્દમાં સૂક્ષ્મક્રિય અને અપ્રતિપાતી એમ બે શબ્દો છે. સૂક્ષ્મક્રિય એટલે જેમાં ક્રિયા સૂક્ષ્મ=અતિ અલ્પ હોય તે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. જેમાં માત્ર આત્મપંદરૂપ સૂક્ષ્મક્રિયા જ રહી છે અને ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી. આ ધ્યાન તેરમા ગુણસ્થાનના છેલ્લા અંતર્મુહૂર્તમાં હોય.
વ્યુપરતક્રિયાનિવૃત્તિ શબ્દમાં વ્યુપરતક્રિય અને અનિવૃત્તિ એમ બે શબ્દો છે. જેમાં ક્રિયા સર્વથા અટકી ગઇ છે તે વ્યુપરતક્રિય. જેમાં પતન નથી તે અનિવૃત્તિ. જેમાં ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઇ જવાથી કોઇપણ જાતની ક્રિયા નથી તથા ધ્યાન કરનારના પરિણામ વિશેષનું પતન નથી તે ધ્યાન વ્યુપરત ક્રિયાનિવૃત્તિ. આ ધ્યાન ચૌદમા ગુણસ્થાને હોય. (૨૮૦)
चरमभवे संस्थानं, यादृग् यस्योच्छ्रयप्रमाणं च । तस्मात् त्रिभागहीनावगाहसंस्थानपरिणाहः ॥ २८९ ॥
चरमभवे संस्थानं यादृग् यस्य केवलिनः उच्छ्रयप्रमाणं च यत् तस्मादुच्छ्रयप्रमाणात् संस्थान - प्रमाणाच्च त्रिभागहीनौ-त्रिभागशून्याववगाहस्यशरीरस्य संस्थानपरिणाहौ- संस्थित्युच्छ्रायौ यस्य स तथा । योगनिरोधकाल વંવિધપ્રમાળ: સ્થાવિત્તિ ।। ૨૮ ॥
પ્રશમરતિ ૦ ૨૨૯