________________
ટીકાર્થ– સાતા=સુખ, ઋદ્ધિ વૈભવ, રસ અમૃત સમાન આહાર.
ઋદ્ધિવૈભવ="અણિમા, લધિમા, ગરિમા, ઇશિત્વ, વશિત્વ, સર્વજનપ્રિયત્ન વગેરે. (૨૫૫)
यस्यां सङ्गं न धत्ते मुनिस्तां स्वरूपत आहया सर्वसुरवरद्धिविस्मयनीयाऽपि साऽनगारद्धेः । नार्घति सहस्रभागं, कोटिशतसहस्रगुणिताऽपि ॥ २५६ ॥
या सर्वसुरवरर्द्धि:-चतुर्विधेन्द्रविभूतिविस्मयनीयाऽपि-जनानन्दकारिणी अपि साऽनगारद्धेः-साधुजनविभूतेः सहस्रभागमपि न-नैवार्घति-नाघु प्राप्नोति, न तुल्या भवतीत्यर्थः । कीदृश्यपि ? कोटिशतसहस्रगुणिताऽपि-कोटिलक्षाभ्यતાડપતિ | રદ્દ //
મુનિ જેમાં રાગ કરતા નથી તે ઋદ્ધિને સ્વરૂપથી કહે છે, અર્થાત્ તે ઋદ્ધિના સ્વરૂપને કહે છે
ગાથાર્થ– લોકોને આનંદ કરનારી પણ ચાર પ્રકારના ઇન્દ્રોની ઋદ્ધિને લાખ ક્રોડથી ગણવામાં આવે તો પણ તે ઋદ્ધિ અણગારની ઋદ્ધિના હજારમાં ભાગનું પણ મૂલ્ય પામતી નથી, અર્થાત્ હજારમા ભાગે પણ તેની સરખામણી ન થઈ શકે. (૨૫૬) यद् तदुपरि तस्य स्यात्तदाहतज्जयमवाप्य जितविघ्नरिपुर्भवशतसहस्रदुष्प्रापम् । चारित्रमथाख्यातं, संप्राप्तस्तीर्थकृत्तुल्यम् ॥ २५७ ॥ तस्या जयः तं-विभूत्यनुपजीवनमवाप्य-प्राप्य, को ? जितविघ्नरिपुः
૧. અણિમા=જેનાથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનીને સર્વસ્થળે જઈ શકાય તેવી સિદ્ધિ.
લઘિમા=જેનાથી કાપુસ જેવા હલકા બની શકાય તેવી સિદ્ધિ. ગરિમા જેનાથી અતિશય ભારી બની શકાય તેવી સિદ્ધિ. ઇશિત્વ=જેનાથી ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકાય તેવી સિદ્ધિ. વશિત્વ જેનાથી બીજાને વશ કરી શકાય તેવી સિદ્ધિ.
સર્વજનપ્રિયત્વ=જેનાથી બધાને પ્રિય બની શકાય તેવી સિદ્ધિ. ૨. ભવનપતિ-વ્યન્તર-જ્યોતિષ્ક-વૈમાનિક એ ચાર નિકાયના સામાન્યથી ચાર ઇન્દ્રો.
પ્રશમરતિ • ૨૧૨