________________
यस्य पुनः केवलिनः, कर्म भवत्यायुषोऽतिरिक्ततरम् । स समुद्घातं भगवानथ गच्छति तत् समीकर्तुम् ॥ २७२ ॥ यस्य पुनः केवलिनः कर्म-कर्मत्रयं वेद्यनामगोत्राख्यं भवत्यायुषोऽतिरिक्ततरंअतिशयेन समधिकं स केवली समुद्घातं वक्ष्यमाणं भगवानथ गच्छतिकरोति तस्य-आयुषः समीकर्तुं । त्रीण्यपि कर्माणीति ॥ २७२ ॥
આ પ્રમાણે પંદર આર્યાઓથી શ્રેણિનું પ્રતિપાદન કર્યું. હવે કેવળ સમુદ્ધાત, યોગનિરોધ અને તત્કાળ કર્મક્ષયનું પ્રતિપાદન કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– જે કેવળીને વેદનીય-નામ-ગોત્ર એ ત્રણ કર્મો આયુષ્યથી વધારે હોય (=આયુષ્યની સ્થિતિથી વધારે સ્થિતિવાળા હોય) તે ભગવાન તે કર્મોને આયુષ્યની સમાન કરવા માટે સમુઘાત કરે છે. (૨૭૨) दण्डं प्रथमे समये, कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये, लोकव्यापी चतुर्थे तु ॥ २७३ ॥ दण्डं ऊर्ध्वाधश्चतुर्दशरज्ज्वात्मकं बाहल्यतः शरीरमानं प्रथमसमये-आद्यसमये करोति । कपाटमिव कपाटं पूर्वापरलोकान्तव्यापिनं अथ चोत्तरे तथा समये करोति । मन्थानं दक्षिणोत्तरलोकान्तव्यापिनं अथ तृतीये समये । लोकव्यापी समस्तनिष्कुटव्यापनात् चतुर्थे तु समये भवति केवलीति ॥ २७३ ॥
ગાથાર્થ– સમુદ્રઘાતમાં કેવળી આત્મપ્રદેશોને પ્રથમ સમયે દંડ રૂપે કરે છે, પછી બીજા સમયે કપાટરૂપે કરે છે, ત્રીજા સમયે મળ્યાનરૂપે કરે છે અને ચોથા સમયે લોકવ્યાપી થાય છે.
ટીકાર્થ– દંડ રૂપે કરે છે=આત્મપ્રદેશોને સ્વશરીર પ્રમાણ જાડા દંડના આકારે લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી ફેલાવે છે. (એથી આત્મપ્રદેશો એક મોટો દંડ ઊભો હોય તેવા બની જાય છે.)
કપાટ રૂપે કરે છે–પૂર્વ-પશ્ચિમ લોકના એક છેડાથી બીજા છેડા સુધી આત્મપ્રદેશોને ફેલાવે છે. (આથી આત્મપ્રદેશો કપાટ (=પાટિયા) જેવા બની જાય છે.)
પ્રશમરતિ • ૨૨૪