________________
ગાથાર્થ– કેવળી ભગવંત સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયમાં (=દંડકરણના અને દંડસંહારના સમયમાં) ઔદારિક કાયયોગવાળા, બીજા-છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્રકાયયોગવાળા, ત્રીજાચોથા અને પાંચમા સમયમાં કાર્મણ કાયયોગવાળા હોય છે અને એ ત્રણે સમયમાં નિયમા અનાહારક હોય છે.
ટીકાર્થ– અનાહારક હોય છે— ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં કાર્મણ શરીરનો વ્યાપાર હોય છે અને કાર્મણ શરીરના વ્યાપારમાં વિજ્ઞામાવત્રા એ ગાથાથી અનાહારકપણું સિદ્ધ છે.
વિહામાવત્રા એ ગાથા અને તેનો અર્થ આ પ્રમાણે છે— विग्गहगइमावन्ना केवलिणो समोहया अजोगी य ।
સિદ્ધા ય અળાહારા સેમા આહારના નીવા ॥ પ્ર.સા. ૧૩૧૯ ॥ વિગ્રહગતિમાં રહેલા જીવો (દ્વિવક્રા આદિ ગતિમાં એક વગેરે સમયમાં), સમુદ્ધાતમાં રહેલા કેવળીઓ (ત્રીજો-ચોથો-પાંચમો એ ત્રણ સમય સુધી), અયોગીઓ (શૈલેશી અવસ્થામાં હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ જેટલા કાળમાં) અને સિદ્ધો અણાહારી હોય છે. બાકીના જીવો આહારી હોય છે. (૨૭૫-૨૭૬)
આ પ્રમાણે સમુદ્દાત અધિકાર પૂર્ણ થયો. (૨૧) યોગનિરોધ અધિકાર
स समुद्घातनिवृत्तोऽथ मनोवाक्काययोगवान् भगवान् । यतियोग्ययोगयोक्ता, योगनिरोधं मुनिरुपैति ॥ २७७ ॥
स मुनिः समुद्घातनिवृत्तोऽथ - अनन्तरं मनोवाक्काययोगवान्-करणत्रयव्यापारवान् भगवान्-पूज्यः । यतियोग्यस्य - साधुजनार्हस्य योगस्य - व्यापारस्यानीतपीठफलकादेर्प्रत्यर्पणमुपदेशादेर्योक्ता - व्यापारयिता । योगनिरोधमुपैतिજૂતિ || ૨૭૭ ||
I
ગાથાર્થ– સમુદ્ધાતથી નિવૃત્ત થયેલા તે મુનિ ભગવંત હવે (અંતર્મુહૂર્ત સુધી) મન-વચન-કાયાના યોગવાળા રહે, અને સાધુને યોગ્ય વ્યાપાર કરે. પછી યોગનિરોધને પામે છે=કરે છે.
પ્રશમતિ ૦ ૨૨૬