________________
સંપૂર્ણ-સર્વપદાર્થોનું જ્ઞાન કરાવતું હોવાથી સંપૂર્ણ.
અપ્રતિહત=ક્યારે પણ કોઈપણ વસ્તુનો (જોવામાં આંખને ભીંત આદિનો પ્રતિબંધ થાય છે તેમ) પ્રતિબંધ ન હોવાથી અપ્રતિહત. (૨૬૭-૨૬૮) तस्मिन् केवलज्ञाने सति कीदृशः स्यादित्याहकृत्स्ने लोकालोके, व्यतीतसाम्प्रतभविष्यतः कालान् । द्रव्यगुणपर्यायाणां, ज्ञाता द्रष्टा च सर्वार्थैः ॥ २६९ ॥
लोकश्चालोकश्च लोकालोकं तत्र । कीदृशे ? कृत्स्ने-परिपूर्णे । व्यतीतसाम्प्रतभविष्यतः कालान्-कालत्रयं, आश्रित्येति शेषः । द्रव्यगुणपर्यायाणां कृतद्वन्द्वानां, तत्र गुणपर्यायवद् द्रव्यं, सहभाविनो गुणाः, क्रमभाविनः पर्याया इत्यादिलक्षणभाजां सतां सचेतनाचेतनानां । ज्ञाता विशेषेण । द्रष्टा सामान्येन। सर्वार्थः-सर्वप्रकारैर्यथाऽन्तस्तथा बहिः यथा बहिस्तथाऽन्तः इत्यादिकैरिति ॥ २६९ ॥
તે કેવળજ્ઞાન થયે છતે તે જીવ કેવો થાય તે કહે છેગાથાર્થ- (કેવળજ્ઞાન થતાં) જીવ સંપૂર્ણ લોકમાં અને અલોકમાં ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળને આશ્રયીને સર્વ દ્રવ્ય-ગુણપર્યાયોના સર્વપ્રકારે જ્ઞાતા-દષ્ટા થાય છે.
ટીકાર્થ-દ્રવ્ય જેમાં ગુણો (=સદા રહેનારા જ્ઞાનાદિ અને સ્પર્શાદિ ધર્મો) અને પર્યાયો (=ઉત્પન્ન થનારા તથા નાશ પામનારા જ્ઞાનોપયોગ આદિ અને શુક્લરૂપ આદિ ધર્મો) હોય તે દ્રવ્ય. (તસ્વાર્થાધિગમ સૂત્ર ૫-૩૭)
ગુણ દ્રવ્યના સહભાવી (=સદા દ્રવ્યની સાથે રહેનારા) ધર્મોને ગુણ કહેવામાં આવે છે (પ્રમાણનયતત્તાલોક).
પર્યાય=દ્રવ્યના ક્રમભાવી (ક્રમશઃ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા) ધર્મોને પર્યાયો કહેવામાં આવે છે. (પ્રમાણનયતત્તાલોક)
દરેક દ્રવ્યમાં કોઇને કોઇ ધર્મો અવશ્ય રહેલા હોય છે. આ ધર્મો બે પ્રકારના છે– (૧) સહભાવી અને (૨) ક્રમભાવી. વસ્તુ જ્યારથી છે ત્યારથી અને જ્યાં સુધી રહે ત્યાં સુધી વસ્તુની સાથે જ રહેનારા ધર્મો
પ્રશમરતિ - ૨૨૧