________________
વિષયો અશુભભાવને પામે છે, અને અશુભવિષયો શુભભાવને પામે છે. (૨૩૯-૨૪૦)
धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा । सुखमास्ते निर्द्वन्द्वो, जितेन्द्रियपरीषहकषायः ॥ २४१ ॥
तथा धर्मध्यानेऽभिरतः । तथा त्रिदण्डविरतो-दुष्टमनोवाक्कायत्रयान्निवृत्तः । तथा त्रिगुप्तिगुप्तात्मा-मनोगुप्त्यादिभिः रक्षितजीवः । सुखमास्ते-एवंविधः सुखेन तिष्ठति । निर्द्वन्द्वो-निर्गताशेषकलहः । तथा जितेन्द्रिय-कषायपरीषह (परीषहकषायः) इति सुगममिति ॥ २४१ ॥
ગાથાર્થ- ધર્મધ્યાનમાં તત્પર, દુષ્ટ મન-વચન-કાયા રૂપ ત્રણ દંડથી નિવૃત્ત થયેલ, ત્રણ ગુપ્તિઓથી આત્માનું રક્ષણ કરનાર, સર્વ કલહોથી રહિત, ઇન્દ્રિય-કષાય-પરીષહો ઉપર વિજય મેળવનાર સાધુ સુખપૂર્વક રહે છે. (૨૪૧) विषयसुखनिरभिलाषः, प्रशमगुणगणाभ्यलङ्कृतः साधुः । द्योतयति यथा न तथा, सर्वाण्यादित्यतेजांसि ॥ २४२ ॥ विषयसुखनिरभिलाषः-शब्दादिसङ्गनिःस्पृहः प्रशमगुणगणाभ्यलङ्कृतोविभूषितः साधुर्यथा द्योतयति न तथा सर्वाण्यादित्यतेजांसि-देवप्रभाः । किलैवंविधसाधूनां केवलावधयः सम्भाव्यन्ते, अतः परैरनभिभवनीयं च तेजः સંભાવ્યતે II ર૪૨ //
ને રૂતિ વધારે છે ગાથાર્થ વિષયસુખોની અભિલાષાથી રહિત (=શબ્દાદિના સંગમાં નિઃસ્પૃહ), પ્રશમના (સ્વાધ્યાય- સંતોષ વગેરે) ગુણોના સમૂહથી વિભૂષિત સાધુ જે રીતે પ્રકાશ પાથરે છે તે રીતે દેવની સર્વપ્રથાઓ પ્રકાશ પાથરતી નથી.
ટીકાર્થ– આવા સાધુઓને કેવલજ્ઞાન કે અવધિજ્ઞાન સંભવે છે. આથી તેમનું તેજ બીજાઓથી પરાભવ ન કરી શકાય તેવું સંભવે છે. (૨૪૨)
આ પ્રમાણે “ચરણ' અધિકાર પૂર્ણ થયો. ૧. માહિત્ય શબ્દનો દેવ અર્થ પણ થાય છે. ટીકાકારે દેવ અર્થ કર્યો છે.
પ્રશમરતિ - ૨૦૩