________________
यत्र तत्, सूक्ष्मसंपरायगुणस्थानवर्येव ४ यथाख्यातं-अकषायं उपशान्तादिગુણસ્થાનવતુષ્ટય તિ | ર૨૮ /
इत्येतत्पञ्चविधं, चारित्रं मोक्षसाधनं प्रवरम् । नैकैरनुयोगनयप्रमाणमार्गः समनुगम्यम् ॥ २२९ ॥ इति-एतेन प्रकारेण एतत्-समीपवर्ति पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरमिति प्रतीतं । नैकैरित्यसमासोऽयं, अनेकैः-बहुभिः प्रकारैः । किंभूतैः ? अनुयोगाश्च-अनुयोगद्वाराणि उपक्रमादीनि, किं कतिविधमित्यादीनि वा, नयाश्च-नैगमादयः, प्रमाणानि च-प्रत्यक्षादीनि तानि तथा तेषां मार्गास्तैः समनुगम्यं-ज्ञेयं इति ॥ २२९ ॥ હવે ચારિત્રને કહે છે
ગાથાર્થ– સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. આ ચારિત્ર મોક્ષનું ઉત્તમ સાધન છે તથા આ ચારિત્ર અનુયોગ-નય-પ્રમાણના અનેક માર્ગોથી (=પ્રકારોથી) જાણવા યોગ્ય છે.
ટીકાર્થ- સામાયિક સામાયિક એટલે શત્રુ-મિત્ર (આદિ) પ્રત્યે સમભાવ. આ સામાયિક પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં ઇવર (=અલ્પકાળ સુધી) હોય છે તથા બાકીના બાવીસ જિનેશ્વરોના શાસનમાં અને મહાવિદેહક્ષેત્રમાં માવજીવ હોય છે.
છેદોપસ્થાપનીય જેમાં પૂર્વના પર્યાયનો છેદ કરીને ઉત્તરપર્યાયમાં સ્થાપવામાં આવે તે છેદોપસ્થાપનીય. આ ચારિત્ર પહેલા-છેલ્લા તીર્થકરના શાસનમાં હોય.
પરિહારવિશુદ્ધિ=જેમાં પરિહારથી વિશુદ્ધિ થાય તે પરિહારવિશુદ્ધિ. પરિહાર એટલે આયંબિલ સિવાયના આહારનો ત્યાગ. વિશુદ્ધિ એટલે કર્મક્ષય. જેમાં આયંબિલ સિવાયના આહારનો ત્યાગ કરવાથી કર્મક્ષય થાય તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. જેઓ નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુ સુધીનું શ્રુત ભણ્યા હોય તેમને જ આ ચારિત્ર હોય. નવ સાધુઓ ગચ્છમાંથી નીકળીને આ ચારિત્રને સ્વીકારે.
પ્રશમરતિ - ૧૯૬