________________
સ્થૂલતા=સ્થૂલ પરિણામ. સ્કંધો સ્થૂલ પરિણામવાળા હોય ત્યારે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે અને ધારણ કરી શકાય છે.
સંસ્થાન=ગોળ, ત્રિકોણ, ચોરસ, લાંબુ, પરિમંડલ (બંગડીજેવો ગોળ) એમ સંસ્થાનના (=આકારના) પાંચ પ્રકાર છે. આ પાંચ પ્રકારનું સ્વરૂપ પ્રસિદ્ધ છે.
ભેદ=ભેદ એટલે બે પ્રકારે થવું, બે વગેરે સ્કંધોનું જુદા થવું.
અંધકાર=(અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે, પ્રકાશના અભાવરૂપ નથી.)
છાયા=(છાયાના તડ્વર્ણ પરિણત અને આકૃતિરૂપ એમ બે પ્રકાર છે. આરિસા આદિમાં પ્રતિબિંબ એ તડ્વર્ણ પરિણત છાયા છે. શરીરનો પડછાયો વગેરે આકૃતિરૂપ છાયા છે.) છાયા શીતલ અને આલ્હાદકારી હોય છે. ઉદ્યોતકરત્ન આદિમાંથી ઉત્પન્ન થયેલો પ્રકાશ. આતપ-સૂર્યનો તાપ.
આ બધાય પુદ્ગલના ઉપકારો છે તથા યુક્તિ અને આગમથી પ્રતિપાદન કરવા યોગ્ય છે. (૨૧૬).
कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः स्युः । जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः ॥ २१७ ॥ तथा कर्म-ज्ञानावरणादि शरीरं-औदारिकादि मनो-मनोवर्गणाः वाग्द्वीन्द्रियादिभिरुच्चार्यमाणा विचेष्टितानि-विविधव्यापारा ग्रहणोत्क्षेपणाकुञ्चनादयः उच्छासः-आनपानौ, दुःखं सुखं च प्रतीतं, एतानि कर्मादीन्यष्टौ पदानि कृतद्वन्द्वानि ददति-कुर्वन्ति ये ते तथा । तथा जीवितं-आयुः, तदपि पौद्गलिकमार्हतानां, जीवितोपष्टम्भहेतवो वा-अन्नपानादयः, मरणंप्राणत्यागलक्षणं, तदपि पुद्गलशाटनात्मकत्वात्पौद्गलिकं, मरणहेतवो वा शस्त्राग्निविषादयः, उपग्रहः-सौभाग्यादृश्यीकरणधारास्तम्भादयः, एतांस्त्रीनपि कृतद्वन्द्वान् कुर्वन्ति-विदधतीति तत्कराः संसारिणो-जीवस्य, स्कन्धाःप्रभूताणुसमुदायाः, न तु व्यणुकादयः स्कन्धाः, तेषां अत्र कार्येषु अनुपयोगित्वात्, स्युः-भवेयुरिति क्रिया सर्वपदेषु योज्या इति ॥ २१७ ॥
ગાથાર્થ– કંધો જીવના કર્મ, શરીર, મન, વાણી, વિવિધ ચેષ્ટા, ઉચ્છવાસ, દુ:ખ, સુખ, જીવિત, મરણ અને ઉપગ્રહને કરનારા થાય છે.
પ્રશમરતિ • ૧૮૫