________________
જીવો યથાસંભવ બે વગેરે સર્વભાવોને અનુસરે છે. (જીવોના ભાવોનું વિસ્તૃત વર્ણન ૧૯૭મી ગાથામાં કરવામાં આવ્યું છે.) (૨૦૯)
अथ कोऽयं लोक इत्याशङ्कते-किं द्रव्यान्तरमुतान्यत्किचिदित्याहजीवाजीवा द्रव्यमिति षड्विधं भवति लोकपुरुषोऽयम् । वैशाखस्थानस्थः, पुरुष इव कटिस्थकरयुग्मः ॥ २१० ॥ जीवाजीवा इति षड्विधं द्रव्यं भवति, स च षड्विधः द्रव्यसंयोगः आधाराधेयरूपो लोकपुरुषः, अयं निगद्यते । स च संस्थानतो वैशाखस्थानस्थोविवृतपादस्थानस्थितः पुरुष इव-नर इव । कीदृशः ? कटिस्थकरयुग्म:कटिप्रदेशस्थापितहस्तद्वयः, विवृतपादभ्राम्यमाणनराकार इति ॥ २१० ॥
આ લોક શું છે ? (છ દ્રવ્ય સિવાય) બીજું દ્રવ્ય છે કે બીજું કંઇક છે એવી આશંકા કરે છે, આથી ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– આ પ્રમાણે જીવ અને અજીવ દ્રવ્યો મળીને છ દ્રવ્યો છે. આ છ દ્રવ્યો લોક છે, અર્થાત્ જેટલા ક્ષેત્રમાં આ છ દ્રવ્યો રહેલા છે તેટલા ક્ષેત્રની લોક સંજ્ઞા છે. લોકનો આકાર બે પગ પહોળા કરીને અને બંને હાથ બંને બાજુએ કેડ ઉપર રાખીને ઊભા રહી ચકરડી ભમતા પુરુષ જેવો છે.
ટીકાર્થ– લોકપુરષ છ દ્રવ્યોના સંયોગરૂપ છે અને આધારાધેય રૂપ છે, અર્થાત્ છ દ્રવ્યો આધેય છે અને લોકપુરુષ તેમનો આધાર છે. લોકનો આકાર બે પગ પહોળા કરીને અને બંને હાથ બંને બાજુએ કેડ ઉપર રાખીને ઊભા રહી ચકરડી ભમતા પુરુષ જેવો હોવાથી લોકને પુરુષની ઉપમા આપી છે. આથી લોકપુરુષ એમ કહેવામાં આવે છે. (૨૧૦)
तत्राधोमुखमल्लकसंस्थानं वर्णयन्त्यधोलोकम् । स्थालमिव च तिर्यग्लोकमूर्ध्वमथ मल्लकसमुद्गम् ॥ २११ ॥
अत्र स्थालमिव चेत्यत्र चकारो न दृश्यते आदर्शकेषु, तं च विना छन्दो न पूर्यते, तत्त्वं श्रुतविदो विदन्ति । तत्र-पुरुषेऽधोलोकं-सप्तनरकपृथ्वीरूपं ૧. વૈશાખ સ્થાન એ ધનુર્ધારીઓનું એક પ્રકારનું આસન છે. તેમાં ધનુર્ધારીઓ બંને
પગ વચ્ચે એક વેંતનું અંતર રાખીને ઊભા રહે છે.
પ્રશમરતિ • ૧૭૯