________________
રૂપે અન્વયી માટી રૂપે તેનો=માટીનો અને ઘટ-કુશૂલ-કપાલ આદિનો અવિગમ=નિત્યતા કે સ્થિરતા છે. આથી તે વસ્તુ=માટી અને ઘટ વગેરે તે રૂપેકમાટી રૂપે નિત્ય કહેવાય છે.
માટી ત્રણે કાળમાં ઘટ-કુશૂલ-કપાલના સંબંધવાળી છે=આ ત્રણે માટીના છે અને આ ત્રણેમાં માટી છે એમ માટી ત્રણે કાળમાં ઘટ-કુશૂલકપાલના સંબંધવાળી છે. આથી ઘટ આદિ ત્રણેમાં અન્વયી એવી માટી રૂપે માટીનો અને ઘટ-કુશૂલ-કપાલનો અવિગમ=સ્થિરતા છે. આથી માટી કે ઘટ-કુશૂલ-કપાલ માટી રૂપે નિત્ય છે.
ભાવાર્થ-માટીના પિંડમાંથી કુશૂલની ઉત્પત્તિ થઈ. અહીં માટીનો પિંડ રૂપે વિનાશ થયો, કુશૂલ રૂપે ઉત્પાદ થયો અને માટી રૂપે અનિગમ (=નિત્યતા) છે. પછી કુશૂલમાંથી કપાળની ઉત્પત્તિ થઈ. અહીં માટીનો કશુલરૂપે વિનાશ થયો, કપાળરૂપે ઉત્પાદ થયો અને માટી રૂપે અવિગમ છે. કપાલમાંથી ઘટ થયો. અહીં માટીનો કપાલ રૂપે વિનાશ થયો. ઘટ રૂપે ઉત્પાદ થયો અને માટી રૂપે અધિગમ છે. (૨૦૬)
આ પ્રમાણે ભાવ અધિકાર પૂર્ણ થયો.
(૧૫) છ દ્રવ્ય અધિકાર साम्प्रतमजीवपदार्थं प्रकटयितुकामो भेदतः स्वरूपतश्चाहधर्माधर्माकाशानि, पुद्गलाः काल एव चाजीवाः । पुद्गलवर्जमरूपं, तु रूपिणः पुद्गलाः प्रोक्ताः ॥ २०७ ॥ धर्माधर्माकाशानि कृतद्वन्द्वानि गतिस्थित्यवगाहदानलक्षणानि पुद्गलाःपूरणगलनधर्माणः काल एव च-अर्धतृतीयद्वीपसमुद्रद्वयव्यापी वर्तनादिलिङ्गः एते पञ्चाप्यजीवाः । पुद्गलवर्ज-पुद्गलास्तिकायविकलं धर्मादिचतुष्टयमरूपं તુ-અમૂર્તિમદેવ રૂપિળો-મૃતિમન્તઃ પુતિ: પ્રોફl-મળતા રૂતિ / ર૦૭ |
હવે અજીવ પદાર્થને પ્રગટ કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર ભેદથી અને સ્વરૂપથી કહે છે, અર્થાત્ અજીવના ભેદોને અને સ્વરૂપને કહે છેગાથાર્થ– ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને કાલ
પ્રશમરતિ - ૧૭૪