________________
જેવી રીતે ઘટની ઉત્પત્તિ થતાં જ ઘટમાં કુશૂલનો નાશ થાય છે અને માટી રૂપે સ્થિરતા હોય છે તેમ નૂતન જિનપ્રવચનની ઉત્પત્તિ થતાં જ પૂર્વનું જિનપ્રવચન નાશ પામે છે અને અર્થથી જિનપ્રવચન સ્થિર રહે છે. જિનપ્રવચન ઉત્પન્ન થયું એમ બોલીને સિદ્ધાંતવેદીઓએ વિગમ અને ધ્રૌવ્યને ગૌણ બનાવ્યા છે. જિનપ્રવચન ઉત્પન્ન થયું એમ બોલવામાં સિદ્ધાંત વેદીઓનો વિગમ અને પ્રૌવ્યથી રહિત કેવળ ઉત્પાદ જ એવો આશય નથી. પ્રશ્ન– એકને કહેવામાં બીજા બેનો સદ્ભાવ કેમ હોય ?
ઉત્તર– એકને કહેવામાં બીજા બેનો સદ્ભાવ હોય જ છે. તે આ પ્રમાણે– કોઈ પુરુષ કોઇનો ભાઈ છે, કોઇનો પુત્ર છે અને કોઇનો પિતા છે. આમ એક જ પુરુષમાં અનેક સ્વરૂપ છે. આમ છતાં કોઇ તેને તેવું કાર્ય કરવામાં સમર્થ જાણીને “ભાઈ' તરીકે બોલાવે છે. આ વખતે તેનામાં પુત્રત્વ આદિ નથી એવું નથી, અર્થાત્ છે જ, પણ ગૌણ છે. તે રીતે પ્રસ્તુતમાં જિનપ્રવચનની ઉત્પત્તિ થઈ એમ કહેવામાં ઉત્પત્તિની પ્રધાનતા વિવક્ષિત છે અને વિગમ-ધ્રૌવ્યની ગૌણતા વિવક્ષિત છે, પણ વિગમ-ધ્રૌવ્ય છે તો ખરા જ. આથી બીજા વાદીઓની જેમ જૈનોને દોષ પ્રગટ થતો નથી.
કેટલાક વિદ્વાનો આ આર્યાની વ્યાખ્યા સપ્તભંગીની સૂચના દ્વારા કરે છે, અર્થાત્ આ આર્યામાં સપ્તભંગી કહી છે એમ માનીને આ આર્યાની વ્યાખ્યા કરે છે. તે વ્યાખ્યા આ પ્રમાણે છે
અહીં ટીકાઈને લખતાં પહેલાં વિવેચન લખવામાં આવે છે. જેથી ટીકાર્ય સરળતાથી સમજી શકાય.
આ ગાથાનો ઉક્ત અર્થ નાની ટીકાના આધારે કરવામાં આવ્યો છે. મોટી ટીકામાં આ ગાથાનો અર્થ જુદી રીતે કરવામાં આવ્યો છે. મોટી ટીકાની દષ્ટિએ આ ગાથામાં સપ્તભંગીનું સૂચન કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે
જે ઉત્પાદ-વિગમ-નિત્યત્વ રૂપ લક્ષણથી યુક્ત હોય તે સત્ છે, યુક્ત ન હોય તે અસત્ છે. આમ પૂર્વાર્ધમાં યાતિ' “ચાન્નતિ' એ બે વિકલ્પો બતાવવામાં આવ્યા છે. “સરસ વા મવતિ' એ શબ્દોથી “ચાપ્તિ ત્રિાતિ' એ ત્રીજો વિકલ્પ બતાવવામાં આવ્યો છે.
પ્રશમરતિ - ૧૬૮